By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    7 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    7 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધર્મનાં ગીતો ગાનારા શ્રેષ્ઠ સંતકવિ રવિદાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધર્મનાં ગીતો ગાનારા શ્રેષ્ઠ સંતકવિ રવિદાસ

agragujaratnews
Last updated: 2024/02/19 at 6:40 PM
1 year ago
Share
ધર્મનાં ગીતો ગાનારા શ્રેષ્ઠ સંતકવિ રવિદાસ
SHARE

ભારતની મધ્યયુગીન સંતપરંપરામાં રવિદાસજીનું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. સંત રવિદાસજી કબીરજીના સમકાલીન સંત હતા. સંતકવિ રવિદાસનો જન્મ વારાણસી પાસેના એક ગામમાં ઈ.સ. 1377 અને સંવત 1433માં મહા સુદ પૂનમના દિવસે થયો હતો. (સંત રવિદાસજીના જન્મ અંગેની કોઈ ચોક્કસ જાણકારી નથી. અનેક મત પ્રવર્તે છે.) એ દિવસે રવિવાર હતો, તેથી તેમનું નામ રવિદાસ રાખવામાં આવ્યું. તેમને સ્વામી રામાનંદના શિષ્ય માનવામાં આવે છે. સંત રવિદાસને લોકો રોહિદાસ કે રૈદાસ તરીકે પણ લોકો ઓળખે છે.

રવિદાસજીનો જીવન પરિચય

સંત રવિદાસના પિતાનું નામ રઘુ અને માતાનું નામ નર્મદા હતું. તેમને ચામડાનો વ્યવસાય હતો. તેઓ જોડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવતાં હતા. સંત રવિદાસ પણ પોતાના પિતાનું કાર્ય લગન અને મહેનતથી કરતા હતા. બાળપણથી જ તેમનું મન ભજન-સત્સંગમાં વધારે રહેતું હતું. તેઓ સાધુ-સંતની જમાત આંગણે આવે તો પ્રેમપૂર્વક જમાડતા. ત્યારબાદ તેમની સાથે બેસીને ભજન-સત્સંગ કરતા. લગ્નલાયક ઉંમર થતાં ભગવતીદેવી સાથે તેમનાં લગ્ન થયાં.

તેઓ વ્યવસાય અને ભજન-સત્સંગ કરતા, આખો દિવસ જોડાં સીવીને સાંજ પડવા આવે ત્યાં કોઈ ગરીબ ઉઘાડાપગે આવે તો રવિદાસજી તેમને મફતમાં જોડાં આપી દેતા. જ્યારે તેમના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા. ત્યારબાદ તેમના પિતાએ ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં એક નાની એવી ઝૂંપડી બનાવી દીધી અને રવિદાસજીને પત્ની સાથે અલગ રહેવાની આજ્ઞા કરી. રવિદાસજી જુદા રહેવા લાગ્યા. તેઓ હરિનામ લેતાં લેતાં જોડાં સીવતા અને તેમાંથી જે કંઈ આવે તેમાં ઘર ચલાવતા તથા આંગણે આવેલા સાધુ-સંતને જમાડીને સત્સંગ કરતા. આ તેમનું નિત્યકર્મ થઈ ગયું હતું.

સંત તથા ભક્તકવિ

હિન્દી સાહિત્યના ઇતિહાસમાં મધ્યકાળ ભક્તિકાળના નામથી પ્રખ્યાત હતો. આ કાળમાં અનેક સંત તથા ભક્તકવિ થયા, જેમણે ભારતીય સમાજમાં વ્યાપ્ત અનેક કુરિવાજોને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ મહાન સંતો અને કવિઓની શ્રેણીમાં સંત રવિદાસજીનું નામ મોખરે છે. તેમણે જાતિ, વર્ગ વગેરે વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયત્નો કર્યા.

રવિદાસજીએ ભક્તિના માર્ગને અપનાવ્યો હતો. સત્સંગ દ્વારા તેમણે પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા હતા. રવિદાસજી પોતાનાં પદોમાં કલ્પના, આધ્યાત્મિક શક્તિ તથા પોતાના ચિંતનને સહજ તથા સરળ ભાષામાં વ્યક્ત કરતા હતા. રવિદાસજીના પદમાં રહેલા ભાવને સમજવા ખૂબ જ સરળ છે. જેમ કે,

પ્રભુજી તુમ ચંદન હમ પાની

જાકી અંગ અંગ બાસ સમાની

પ્રભુજી તુમ ધનબન હમ મોરા

જૈસે ચિતવત ચંદ્ર ચકોરા

પ્રભુજી તુમ દીપક હમ બાતી

જાકી જોતિ બરે દિન રાતી

પ્રભુજી તુમ મોતી હમ ધાગા

જૈસે સોનહિ મિલત સુહાગા

પ્રભુજી તુમ સ્વામી હમ દાસા

ઐસી ભક્તિ કરે રૈદાસા

તેમના જીવનની ઘટનાઓ દ્વારા તેમના ગુણો જાણવા મળે છે. એક ઘટના અનુસાર ગંગાસ્નાન માટે રવિદાસજીના શિષ્યોમાંથી એક શિષ્યે તેમને સાથે આવવા આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું, `ગંગાસ્નાન માટે હું ચોક્કસ તમારી સાથે આવતો, પરંતુ મેં કોઈને આજે જૂતાં બનાવીને આપવાનું વચન આપ્યું છે. જો હું ગંગાસ્નાન માટે આવીશ તો વચનભંગ થશે. જો મન સારું હશે તો આ કથરોટના પાણીથી સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય જ મળશે.’ એવું કહેવાય છે કે આ પ્રસંગ પછી `મન ચંગા તો કઠૌતી મેં ગંગા’ નામની કહેવત પ્રચલિત થઈ.

રવિદાસજીને રામભક્ત અને કૃષ્ણભક્ત પરંપરાના કવિ અને સંત કહેવામાં આવે છે. તેમના પ્રસિદ્ધ દોહા આજે પણ સમાજમાં પ્રચલિત છે, જેના પર અનેક ભજનો બન્યાં છે. સંત રવિદાસ જયંતી દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ અવસરે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સત્સં ગનું આયોજન પણ થાય છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
હેલ્થ

Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન

By 19 hours ago
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?