- મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં દરોડા
- દરોડામાં 31 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરાઇ
- સૂર્ય નારાયણ અને ભરત રેડ્ડી વિરુદ્ધ PMLA હેઠળ નોંધી ફરિયાદ
EDએ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ કહ્યું કે, બંને રાજ્યોમાં દરોડામાં લાખો રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે.
મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનેક જગ્યાએ EDએ દરોડા પાડ્યા હતા. EDએ કહ્યું કે, બંને રાજ્યોમાં દરોડામાં 31 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. EDએ કહ્યું કે આ મામલામાં કર્ણાટકના બેલ્લારીમાં FIR દાખલ કરવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરીએ સર્ચ કરવામાં આવ્યું હતું.
PML હેઠળ કેસ નોંધાયો
જણાવી દઈએ કે સૂર્ય નારાયણ રેડ્ડી અને ભરત રેડ્ડી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. EDએ કહ્યું કે, કર્ણાટકના બેલ્લારીમાં આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરીના રોજ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મળ્યા
તપાસ એજન્સીને શોધ દરમિયાન પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે ભરત રેડ્ડીએ કથિત રીતે વિધાનસભા ચૂંટણીના થોડાક જ મહિનામાં લગભગ 42 કરોડ રૂપિયા રોકડ એકત્ર કર્યા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો.
31 લાખની બિનહિસાબી રોકડ જપ્ત
માહિતી અનુસાર, EDના દરોડામાં ગુનાહિત દસ્તાવેજો, બિઝનેસ રેકોર્ડ્સ અને સ્થાવર અને જંગમ મિલકતોની વિગતોનું નેટવર્ક મળી આવ્યું છે. એજન્સીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન, 31 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ સાથે ઘણા મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ભરત રેડ્ડી, તેના સહાયક રથના બાબુ અને અન્ય લોકો ગેરકાયદેસર ચુકવણી માટે રોકડ એકત્ર કરવામાં સામેલ હતા.
EDની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે શરથ રેડ્ડી (ભરત રેડ્ડીના ભાઈ)એ વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. EDએ કહ્યું કે, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.


