ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડેસીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આજે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. 271 રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.
રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે 15મી ઓવરમાં પોતાની 505મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ઇતિહાસ રચ્યો. રોહિતે હવે ટેસ્ટ, વનડે અને ટી20 મેચમાં 20,000થી વધુ રન પૂરા કર્યા છે. રોહિત ઉત્તમ ફોર્મમાં છે અને અડધી સદીની નજીક છે. તેણે આસીરિઝની પહેલી મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી.
રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000રન બનાવનાર 14મો ક્રિકેટર છે. તેની પહેલા સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, મહેલા જયવર્ધને, જેક્સ કાલિસ, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, જો રૂટ, સનથ જયસૂર્યા, શિવનારાયણ ચંદ્રપોલ, ઇન્ઝમામ-ઉલ-હક અને એબી ડી વિલિયર્સ છે.
” style=”text-align: justify; position: static; visibility: visible; width: 550px; height: 948px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1997294459613282363″>
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયો
૩૪,૩૫૭ રન – સચિન તેંડુલકર
૨૭,૯૧૦ રન – વિરાટ કોહલી
૨૪,૨૦૮ રન – રાહુલ દ્રવિડ
૨૦,૦૦૦* રન – રોહિત શર્મા
ભારત સામે 217 રનનો લક્ષ્યાંક
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને 271રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના બેટિંગ પ્રદર્શનને ધ્યાનમાં લેતા, ભારત શ્રેણી જીતશે તે નિશ્ચિત લાગે છે. આ નિર્ણાયક મેચમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ લીધી. લખતી વખતે, ભારતનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૦૦ રનની નજીક છે. ભારતીય ટીમે આ શ્રેણીની પહેલી મેચ જીતી હતી, ત્યારબાદ બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો-IND vs SA 3rd ODI : દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે આપ્યો 271 રનનો લક્ષ્યાંક


