- ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું
- ભારતે વર્લ્ડકપમાં સતત સાત મેચ જીતી
- ભારત શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું
ભારતે વર્લ્ડકપ 2023માં શ્રીલંકાને હરાવીને સતત સાતમી જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં સતત સાતમી સફળતાથી ભારતીય ખેલાડીઓ ખૂબ જ ખુશ છે. કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર પણ તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે અમને સેમિફાઇનલમાં પહોંચીને ખુબ જ આનંદ થયો, અમે અમારો પ્રથમ લક્ષ્ય હાંસલ કર્યો છે.
અમે જે રીતે સાતેય મેચોમાં પ્રદર્શન કર્યું
‘રોહિતટ શર્માએ વધુમાં કહ્યું કે, ‘અમે જે રીતે સાતેય મેચોમાં પ્રદર્શન કર્યું છે તે અદ્ભુત છે, કારણ કે અત્યાર સુધી દરેકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવો અમારા માટે સારો પડકાર હતો. બેટ્સમેનોએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યું અને બોલરોની તો વાત જ શું કરવી. શ્રેયસ માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. આજે તેણે બતાવ્યું કે તે શું કરી શકે છે. સિરાજ એક શાનદાર બોલર છે. જ્યારે તે ફોર્મમાં હોય છે ત્યારે ટીમનું કામ સરળ બની જાય છે.
હારથી નિરાશ મેન્ડિસ
શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસ ભારત સામેની હારથી ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા. કુસલ મેન્ડિસે કહ્યું કે, આ હારથી હું ખુબ જ નિરાશ છું. વિરોધી ટીમે સીમ અને સ્વિંગનો સારો ઉપયોગ કર્યો હતો. અમે અમારી ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. મેન્ડિસે કહ્યું, ‘વિકેટ ધીમી દેખાતી હતી. આ જ કારણ હતું કે ટોસ જીત્યા બાદ મેં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. એમ ન કહી શકાય કે મારો નિર્ણય ખોટો હતો. મદુશંકાએ મેચમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ કોહલી અને ગીલે કેચ છુટ્યા તે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું
ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આખી ટીમ 19.4 ઓવરમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાના ત્રણ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. જ્યારે આ ટીમના 5 બેટ્સમેન એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકા માટે કસુન રાજિતાએ 17 બોલમાં સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. આ સિવાય પથુમ નિશંકા, દિમુથ કરુણારત્ને, સાદિરા સમરવિક્રમા, દુષણ હેમંથા અને દુષ્મંથા ચમીરા શૂન્ય પર આઉટ થયા હતા.