IPL 2025ના ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલી વાર ટાઈટલ જીત્યું હતું. આ સાથે જ આરસીબી અને ફેન્સની 18 વર્ષની રાહ પૂરી થઈ ગઈ છે. હાલમાં આરસીબીને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના માલિકના હકમાં મોટો ફેરફાર થઈ શકે છે.
બ્લૂમબર્ગનો રિપોર્ટ આવ્યો સામે
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ હાલના માલિક બ્રિટિશ સ્પિરિટ્સની દિગ્ગજ કંપની ડિયાજિયો પીએલસી, ફ્રેન્ચાઈઝીમાં પોતાની પૂર્ણ અથવા આંશિક ભાગીદારી વેચવા પર વિચાર કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી ડિયાજિયો તરફથી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રિપોર્ટમાં નાણાંકીય સલાહકારો સાથે પ્રાથમિક તબક્કાની ચર્ચાઓ થઈ રહી છે, તેવું કહેવામાં આવી રહ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ડિયાજિયો ફ્રેન્ચાઈઝી વેચવા માટે તૈયાર છે. હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ વાતચીત એક મહત્ત્વપૂર્ણ સમયમાં થઈ છે. એ સમયે જ્યારે આરસીબીએ પોતાની જીત માટે 18 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ફ્રેન્ચાઈઝીના રેટ 2 બિલિયનથી કંઈક વધુ કરી રહી છે.
કંપનીની બ્રાન્ડ વિઝિબિલિટીને થશે નુકસાન!
ડિયાજિયો જેવી કંપનીઓએ સોફ્ટ ડ્રિંક્સ અને મિનરલ વોટરની એડમાં આરસીબીના ખેલાડીઓ અને બ્રાન્ડનો ઉપયોગ કર્યો છે. જો એડ માટેના નિયમો કડક બનાવવામાં આવે છે, તો આ કંપનીની બ્રાન્ડ વિઝિબિલિટીને નુકસાન પહોંચી શકે છે, જે ક્રિકેટ દ્વારા તેના ઉત્પાદનમાં વધારો થાય છે, જે ભારતમાં સૌથી પોપ્યુલર રમતમાંથી એક છે.
2016થી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે છે આરસીબીની માલિકી
રિપોર્ટ મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આઈપીએલ દરમિયાન તંબાકૂ અને આલ્કોહોલિક પદાર્થના સેવન પર બેન લગાવવાનો વિચાર કરી રહી છે. યુનાઈટેડ સ્પિરિટ લિમિટેડ અલગ-અલગ નામથી આલ્કોહોલિક પીણું બનાવતી હતી. વર્ષ 2016માં વિજય માલ્યા બાદ આરસીબીની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે ગઈ.