- સંઘના 12000 કાર્યકરો જોડાયા બેઠકમાં
- કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યકમનું આયોજન
- આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકની બેઠક
ભુજમાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં સંઘના 12000 કાર્યકરો બેઠકમાં જોડાયા છે. કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યકમનું આયોજન થયુ છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ RSSના વડા મોહન ભાગવતને મળશે. આજે કચ્છમાં મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. જેમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થયો છે. તેમજ આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકની બેઠક યોજાશે.
બપોરે 11.20થી 1.40 કલાક બેઠક બાદ CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પરત ફરશે
ભુજમાં સંઘના વડા મોહન ભાગવત સાથે આજે મુખ્યમંત્રી બેઠક યોજશે. જેમાં ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ શરૂ થયો છે. બપોરે 11.20થી 1.40 કલાક બેઠક બાદ CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પરત ફરશે. તથા બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભુજમાં આર.એસ.એસ.ની તા.પાંચથી સાત દરમિયાન ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીના આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. માહિતી મુજબ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 11.20 કલાકે ભુજ આવી પહોંચશે અને અને તેઓ સંઘના વડા મોહન ભાગવત સહિતના અગ્રણીઓ સાથે બેઠકમાં કચ્છના સરહદિય ગામોની સ્થિતિ તેમજ અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દે ચર્ચા કર્યા બાદ 1.40 કલાકે ગાંધીનગર જવા પરત રવાના થશે.
બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો ધમમાટ વર્તાઈ રહ્યો છે. આ બેઠકમાં આર.એસ.એસ.ના વડા સરસંઘસંચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે, સર સહકાર્યવાહ અરૂણકુમાર, ભૈયાજી જોશી, સુનીલ આંબેકરજી સહિતના સંઘના અગ્રણીઓ સહિત દેશના તમામ 44 પ્રાંતમાંથી સંઘના 400 જેટલા ક્ષેત્રીય આગેવાનો ભુજ આવી પહોંચ્યા છે. ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે આજે 15000 જેટલા સ્વયંસેવકોને અરુણકુમારજી સંબોધન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજ ખાતે આવીને સંઘના વડા મોહન ભાગવત સહિતના આગેવાનો સાથે બેઠક કરીને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. મુખ્યમંત્રી અને સંઘના વડાની બેઠક સૂચક માનવામાં આવી રહી છે. સંઘના વડાઓની ભુજ ખાતેની બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


