રેસકોર્ષમાં શિબિરનો પ્રથમ પ્રયોગ
રેસકોર્ષ રીંગ રોડ પર પથસંચલન
સંઘના સહ સરકાર્યવાહક મનમોહન વૈદ્ય ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયાંથી તેમની જાહેર જીવનની પ્રથમ ચુંટણી લડી છે એ રાજકોટ શહેર ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ માટે પોલિટિકલ અને સોશિયલ એન્જિનિયરીંગની લેબોરેટરી કહેવાય છે. વધુ એક વખત રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ રાજકોટમાં એક નવો પ્રયોગ કરવા જઇ રહયુ છે. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ આગામી તારીખ ૭ જાન્યુઆરી ર૦ર૪ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે રેસકોર્ષ મેદાનમાં કાર્યકરોની એક દિવસિય શિબર કરશે. સામાન્ય રીતે સંઘ કોઇ સંકુલમાં શિબિર કરતું હોય છે. પ્રથમ વખત રાજકોટમાં આ પ્રયોગ થઇ રહયો છે.
સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ આ શિબિરમાં સંઘના ટોચના અગ્રણીઓમાંના એક સહ સરકાર્યવાહક મનમોહક વૈદ્ય ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે. સંઘના કાર્યકરોની શિબિર બાદ રેસકોર્ષ ખાતે અંદાજે 3પ૦૦ કાર્યકરો પથસંચલન (રોડ શો) કરશે. સંઘની આ શિબિર સૌરાષ્ટ્રના આગામી કાર્યક્રમો અને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,લોકસભાની ચૂંટણી સહિતના મુદે ખુબ મહત્વની મનાય છે.