By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂપાલવાળી વરદાયિની માતાનો ઝાકમઝોળ પલ્લી મહોત્સવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રૂપાલવાળી વરદાયિની માતાનો ઝાકમઝોળ પલ્લી મહોત્સવ

agragujaratnews
Last updated: 2024/10/10 at 7:10 AM
1 year ago
Share
રૂપાલવાળી વરદાયિની માતાનો ઝાકમઝોળ પલ્લી મહોત્સવ
SHARE

સમગ્ર ગુજરાતની પ્રખ્યાત તીર્થભૂમિઓમાં અનેક લોકમેળા ભરાય છે. એમાંય વરદાયિની માતાનો ભરાતો મેળો એટલે કે લોકબોલીમાં કહીએ તો મા વડેચીનો પલ્લીમેળો એક આગવું આકર્ષણ ધરાવે છે.

રૂપાલ ગામમાં આગામી 11 ઓક્ટોબરને શુક્રવારની રાત્રિએ ગાંધીનગર જિલ્લાના રાંધેજાથી 4 કિ.મી. દૂર કલોલ જવાના માર્ગ ઉપર રૂપાલ ગામના ગોંદરે આ પલ્લીમેળો ભરાય છે. પલ્લીના મેળાને માણવા હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં દેશ-દેશાવરના અને આજુબાજુનાં ગામોના ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઢોલ, નગારાં, ત્રાંસાના ગુંજતા અવાજમાં શ્રદ્ધાના પૂર લઈ દર્શનાર્થે ઊમટી પડે છે.

માતા વરદાયિનીનો મહિમા અપરંપાર છે. પલ્લીમાં હજારો મણ શુદ્ધ ઘીની પલ્લીના રથ ઉપર રેલમછેલ થાય છે અને રથ પસાર થઈ ગયા પછી રહી જાય છે. રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ આ યુગની હકીકત છે. આ પલ્લીને જોવા-જાણવા અને માણવા માટે, મા વરદાયિનીનાં દર્શન માટે ગાંધીનગર અને કલોલથી રૂપાલના રોડ ઉપર હજારોની સંખ્યામાં નાનાં મોટાં વાહનોની વણથંભી વણજાર લાગી જાય છે. કહેવાય છે કે દર વર્ષે આ મેળાનો મહિમા વધતો જાય છે અને લાખો લોકો આ સેંકડો વર્ષોથી ભરાતા મેળામાં મા વડેચીના પલ્લીના રથ ઉપર પોતાની મનવાંછિત ઉપાસના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા પડાપડી કરતા હોય છે. હજારો મણ ઘી પલ્લીના રથનાં ચરણોમાં હોમાય છે અને રસ્તાઓ ઉપર ઘીની નદીઓ વહે છે.

માર્કન્ડેયપુરાણમાં માર્કન્ડ મુનિએ માતાજીની આરાધના કરતાં કહ્યું હતું કે આરાધુ અખિલેશ્વરી ભગવતી વાંગીશા વરદાયિની. વિષ્ણુપુરાણમાં પણ મા વરદાયિનીનો ઉલ્લેખ છે. રાક્ષસોનો સંહાર કરવા શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ત્રેતા યુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. ત્યારબાદ દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનાં સ્થાનક હતાં. મા ત્યાં બિરાજતાં હતાં. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં જંગલ હતું. ગુપ્તવાસ પૂરો કરી વિરાટનગરી એટલે આજના ધોળકામાંથી પાંડવો પરત પુનઃ માના સ્થાનકે પાછા ફર્યા હતા અને તેમનાં જે અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડમાં માના સ્થાનક પાસે છુપાવ્યાં હતાં તે પરત મેળવી પુનઃ માના આશીર્વાદ લીધા હતા અને ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતિવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો, પરંતુ કળિયુગના આગમને સોનાની પલ્લીની જગ્યાએ ખીજડાના ઝાડ પુષ્કળ હોવાને કારણે અને માને પ્રિય હોવાને કારણે ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રિવાજ ચાલુ થયો અને જે પરંપરાગત આજ દિન સુધી ચાલતો આવ્યો છે.

માની પલ્લી એટલે માનો રથ જેમાં મા સ્વયં વિરાજે છે. ઉપર પાંડવોના પ્રતીક સમી પાંચ જ્યોતો ઝળહળે છે. નોમના દિવસે માના મંદિરના સાંનિધ્યમાં ભવ્ય લોકમેળો ભરાય છે. આશરે પાંચથી છ લાખ ભાવિક ભક્તો ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી આ પર્વને મહાલવા દર વર્ષે આવે છે.

માતાજીના પલ્લીરથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકોને સેવા આપવામાં આવી છે અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા ભક્તિથી કરે છે. માની પલ્લી સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ ગામના નવજુવાનિયાઓની ટોળકી જય અંબે જય અંબેના ગગનભેદી નાદ કરતાં નાચતા-કૂદતા ચાવડાને બોલાવવા જાય છે. ત્યારબાદ પલ્લીની આગળની વિધિ ચાલે છે અને પછી વાજતેગાજતે પલ્લી ગામનાં ચોકઠાં પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયેહૈયું દળાય તેટલી ઠેર ઠેર જનમેદની પલ્લીરથનાં દર્શન કરે છે.

ગામમાં આવેલાં 27 ચોકઠાંમાં ફરતી પલ્લીયાત્રા અમદાવાદમાં રથયાત્રાની અચૂક યાદ અપાવે છે. પલ્લી વજનદાર હોવા છતાં પણ આ રથને માનવ મહેરામણ જે ગતિએ આગળ ધપાવે છે, તે જોતાં જ વિસ્મયથી ભલભલા મોંમાં આંગળાં નાંખી જોયા કરે છે. ચકલે ચકલે દેગડા- દેગડીઓ, પીપ અને ટ્રેક્ટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે અને હજારો મણ ઘીનો અભિષેક પલ્લી રથ ઉપર કરવામાં આવે છે. અભિષેક થયેલું ઘી માત્ર ગામના અમુક ભાઈઓને જ લેવાનો અધિકાર છે. તેઓ પ્રસાદી રૂપે મેળવેલું ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ કબીલામાં વહેંચે છે. માને અસંખ્ય શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે. ગામના યુવકો અને સન્નારીઓ ફૂલ, ચોખા, કંકુ અને શ્રીફળથી માને વધાવે છે. ગામના યુવકો પલ્લીરથ ઉપર ઘીની ધારાવાહી કરે છે ત્યારે ઘીનો વરસાદ પડતો હોય તેવું વિરલ અને અદ્ભુત દૃશ્ય ખડું થાય છે અને આમ આખાયે ગામના રસ્તાઓ ઘીથી છલકાઈ જાય છે. નાનાં બાળકોને પલ્લીરથની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. બાધાવાળાં બાળકોની લટ કાપવામાં આવે છે અને આમ કરતાં માની પલ્લી નિજ મંદિરની નજદીક આવે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 3 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?