રશિયા-યૂક્રેનની વચ્ચે તુર્કિયેની રાજધાની ઈસ્તાંબુલમાં 2022 બાદ બીજી બેઠક 2 જૂને કરવામાં આવી છે. આ બેઠક નક્કી કરવામાં આવેલા સમય કરતા 2 કલાક પછી શરૂ થઈ અને 1 કલાકની અંદર જ પૂર્ણ થઈ ગઈ. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓના સખ્ત તેવર જોવા મળ્યા. ત્યારે આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે જાણો આ અહેવાલમાં.
સીઝફાયરનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો
રશિયાના પ્રતિનિધિએ જાણકારી આપતા કહ્યું કે રશિયા 6000 મૃત યૂક્રેની સૈનિકના મૃતદેહ યૂક્રેનને પરત કરશે, જેથી આ સૈનિકોને સન્માનજનક અંતિમ સંસ્કાર અને તેના રીત-રિવાજો મુજબ કરવામાં આવી શકે. તેમને કહ્યું કે ગ્રે ઝોન દ્વારા મૃતદેહને પરત સોંપવામાં આવશે. આ સિવાય 2-3 દિવસનો સીઝફાયરનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જે કેટલાક વિસ્તારમાં લાગુ થશે. આ સીઝફાયરનો ઉદ્દેશ્ય સૈનિકોના મૃતદેહને યૂક્રેનમાં સુરક્ષિત સોંપવાનો છે.
યુદ્ધ કેદીઓની અદલા બદલી કરવામાં આવશે
રશિયા-યુક્રેન વચ્ચે 1000-1000 યુદ્ધ કેદીઓની અદલા-બદલી પર સહમતિ બની છે, ઝડપી જ તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુદ્ધ કેદીઓની અદલા-બદલી માટે સ્થાયી સમિતિની રચના પર સહમતિ બની છે, જેથી ભવિષ્યમાં યુદ્ધ કેદીઓની પ્રક્રિયા ઝડપી રીતે પૂરી કરવામાં આવી શકે.
રશિયાએ કહ્યું કે યુક્રેનને 3 મુખ્ય ભાગો ધરાવતો ઔપચારિક શાંતિ મેમોરેન્ડમ સોંપવામાં આવ્યો છે. આ મેમોરેન્ડમ લાંબા સમય માટે શાંતિની દિશામાં કડક પગલું હોય શકે છે. યુક્રેને આ મેમોરેન્ડમને સત્તાવાર રીતે પુન:વિચાર કરવા માટે સ્વીકાર કરી લીધું છે.
યુક્રેનના રક્ષામંત્રીએ કહ્યું કે રશિયાની જેમ કોઈ પણ સમાધાન માત્ર ટોપ લીડરશીપના લેવલ પર કરવામાં આવી શકે છે. તેમને બેઠક દરમિયાન પ્રસ્તાવ મુક્યો કે જૂનના અંત સુધીમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને પુતિનની વચ્ચે એક બેઠકનું આયોજન થાય.