યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન ડ્રોને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ક્ષતિગ્રસ્ત રિએક્ટરની ઉપર સ્થિત રેડિયેશન શેલ્ટરને નિશાન બનાવ્યું હતું. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રાતોરાત હુમલામાં નાશ પામેલા પ્લાન્ટના ચોથા પાવર યુનિટની છત પર આગ ફાટી નીકળી હતી, જેને કાબુમાં લેવામાં આવી હતી.
ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયાના ડ્રોન હુમલાનો ઝેલેન્સકીનો મોટો દાવો
ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયાના ડ્રોન હુમલાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે શુક્રવાર સવાર સુધી પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધ્યું નથી. ઝેલેસ્કીએ ઇન્સ્ટાગ્રામ પર ફૂટેજ પોસ્ટ કર્યું જેમાં વિસ્ફોટ અને કોંક્રિટ અને સ્ટીલની બનેલી વિશાળ કવચને નુકસાન થયેલું જોવા મળ્યું છે. આ કવચ કિરણોત્સર્ગી સામગ્રીના લીકેજને રોકવા માટે બનાવવામાં આવી છે. તે 275 મીટર (900 ફૂટ) પહોળું અને 108 મીટર (354 ફૂટ) ઊંચું છે અને તેના નિર્માણ માટે $1.6 બિલિયનનો ખર્ચ થયો છે.
ચેર્નોબિલની અંદર અને બહાર રેડિયેશનનું સ્તર સામાન્ય અને સ્થિર – IAEA
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ વોચડોગ, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ જણાવ્યું હતું કે રાત્રે થયેલા વિસ્ફોટની મિનિટોમાં ફાયર પ્રોટેક્શન કર્મચારીઓ અને વાહનોએ પ્રતિક્રિયા આપી હતી. જે વિશ્વભરમાં પરમાણુ સુરક્ષા પર નજર રાખે છે તે IAEA, એજન્સીએ કહ્યું કે કોઈ જાનહાનિના અહેવાલ નથી અને જણાવ્યું હતું કે ચેર્નોબિલની અંદર અને બહાર રેડિયેશનનું સ્તર સામાન્ય અને સ્થિર રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચેર્નોબિલ રિએક્ટરમાં વિશ્વનો સૌથી ભયંકર પરમાણુ અકસ્માત થયો હતો. 26 એપ્રિલ 1986 એક પ્રચંડ વિસ્ફોટને કારણે કિરણોત્સર્ગી સામગ્રીનો પ્લુમ હવામાં ઉડી ગયો, જેના કારણે સમગ્ર યુરોપમાં જાહેર આરોગ્યની કટોકટી સર્જાઈ. તે સમયે યુક્રેન સોવિયેત સંઘનો ભાગ હતો.
આંખના પલકારામાં 31 મોત થયા છે
26 એપ્રિલ, 1986 ના રોજ, ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં સલામતી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ એક સામાન્ય પ્રક્રિયા માનવામાં આવે છે, પ્લાન્ટ ડિરેક્ટર પણ સ્થળ પર હાજર ન હતા. પરીક્ષણ દરમિયાન અચાનક ઉર્જા અને વરાળના દબાણને કારણે એક પછી એક અનેક વિસ્ફોટ થયા, જેના કારણે પ્લાન્ટના રિએક્ટરનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો. તે અત્યાર સુધીના સૌથી ભયાનક પરમાણુ અકસ્માતોમાં ગણવામાં આવે છે.આ અકસ્માતમાં 28 કામદારો અને અગ્નિશામકો સહિત 31 લોકોના તાત્કાલિક મૃત્યુ થયા હતા જેઓ સફાઈ કામ દરમિયાન ઘાતક કિરણોત્સર્ગના સંપર્કમાં આવ્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે આ દુર્ઘટનાને કારણે હજારો લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બન્યા હતા.


