રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિત હજી પણ યથાવત છે. ખાસ કરીને જ્યાર ેયુક્રેને ઓપરેશન સ્પાઈડર વેબની મદદથી રશિયા પર હુમલો કર્યો ત્યારથી રશિયા કોઈ પણ રીતે માનવા તૈયાર નથી. દરેક રાત્રે યુક્રેનના કોઈના કોઈ શહેરમાં આકાશમાંથી અગન ગોળા વરસે છે. 12 જૂનની રાત્રે ફરી એક વખત યુક્રેનના ખાર્કીવ શહેરમાં રશિયા દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેંમાં ત્રણ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે પરંતું યુક્રેનિયન મિડીયા કોઈના પણ મૃત્યુની પૃષ્ટી કરી રહ્યું નથી. તેમનું કહેવું છે કે હુમલામાં 12 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર બાળકો પણ શામેલ હતા. આ જાણકારી ખારકીવના મેયર ઈહોર તેરેકોવે ટેલિગ્રામ પર આપી હતી.
ખાર્કીવમાં વરસ્યા અગન ગોળા
ખાર્કીવના મેયરના કહ્યા અનુસાર રશિયાએ ખાર્કિવ પર 11 ડ્રોન હુમલા કર્યા, જ્યારે 12મું ડ્રોન પડ્યુ પણ ફાટ્યું નહી. આ હુમલાઓમાં રિહાયશી વિસ્તારો, સ્કુલો, કિંટર ગાર્ડન અને અન્ય ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ઘણી કારો સળગી ગઈ અને સ્કુલ તેમજ ઘરની બારીઓ તૂટી ગઈ. સ્થાનીય ફાઈટર્સ આગ ઓલવવાની મહેનત કરતા હતા કારણકે આ આગ અલગ અલગ વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.
આ ઘટનાના એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 64 લોકો ઘાયલ થયા હતા. જેમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.