- હિંદ મહાસાગરમાં સુરક્ષા માટે વધ્યો ખતરો
- લાલ સાગરમાં બનતી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે ભારત
- ભારત અને ઈરાન બંને પશ્ચિમ એશિયામાં હાલની ઘટનાને વિશે ચિંતિત
ઈરાનની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની આસપાસ જહાજો પર હુમલાને આંતરરાષ્ટ્રીય સમુદાયને માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. સોમવારે તેઓએ કહ્યું કે આ રીતના ખતરાથી ભારતની ઉર્જા અને આર્થિક હિત પર સીધી અસર પડે છે. વિદેશમંત્રીએ કહ્યું કે આ ભયાવહ સ્થિતિ કોઈ પણ પક્ષના હિતમાં નથી.
ઈરાનના વિદેશમંત્રી સાથે કરી વાત
તેઓએ ઈરાનના વિદેશમંત્રી હૌસૈન અમીરાબ્દુલ્લાહિયનની સાથે વ્યાપક વાતચીત બાદ એક નિવેદનમાં કહ્યું કે હાલમાં હિંદ મહાસાગરના મહત્ત્વના ભાગમાં સમુદ્રી વાણિજ્યિક યાતાયાતની સુરક્ષા માટે ખતરો વધ્યો છે. એસ. જયશંકરે આ વાત પર પણ ભાર મૂક્યો કે આ મુદ્દે ઝડપથી સમાધાન કરી લેવામાં આવે. ઈઝરાયલ-હમાસની વચ્ચે ઈરાનના સમર્થન યમનના હૂતી વિદ્રોહીઓની તરફથી લાલ સાગરમાં વ્યાપારિક જહાજને નિશાન બનાવવાનો સંદર્ભ હતો. ભારત લાલ સાગરમાં બનતી સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ભારત અને ઈરાન બંને ચિંતિત
વિદેશમંત્રીએ કહ્યું કે ભારત અને ઈરાન બંને પશ્ચિમ એશિયામાં હાલની ઘટનાને વિશે ચિંતિત છે અને સાથે હિંસા અને શત્રુતા વધવાથી રોકવા પર ભાર આપે છે. તેઓએ કગ્યું કે ગાઝામાં સ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. નાગરિક જીવનને નુકસાન, ખાસ કરીને મહિલા અને બાળકોને નુકસાન અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
તેઓએ કહ્યું કે ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે અને સાથે યૂએનઆરડબલ્યૂએ યોગદાન આપ્યું છે. ફિલિસ્તીન મુદ્દા પર જયશંકરે 2 રાજ્ય સમાધાન માટે ભારતના લાંબા સમયથી ચાલી આવેલા સમર્થનને દોહરાવ્યું છે. તેઓએ કહ્યું કે હું તમામ પક્ષોને ઉકસાવનારી અને ચિંતા વધારનારી કાર્યવાહીથી બચવા અને વાતચીત અને કૂટનિતિની દિશામાં આગળ વધવાની આવશ્યકતા પર ભાર આપું છું.


