- પ્રતિ 15 કિલો ડબ્બાએ રૂપિયા 400નો ઘટાડો કર્યો
- પ્રતિ કિલો ઘીમાં રૂપિયા 29 નો ઘટાડો થયો છે
- તાજેતરમાં જ દૂધના કિલો ફેટે રૂ.10નો કરાયો હતો વધારો
સાબરકાંઠાની સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. જેમાં પ્રતિ 15 કિલાના ડબ્બામાં રૂપિયા 400નો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રતિ કિલો ઘીમાં રૂપિયા 29નો ઘટાડો થયો હતો. આગામી તહેવાર નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રજાજનોની ભેટ અપાઈ છે. તહેવાર પ્રસંગે ઘીના ભાવ ઘટતા સ્થાનિકોમાં ખુશી છે.
તાજેતરમાં જ દૂધના કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો હતો
તાજેતરમાં જ દૂધના કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો હતો. ઘીના ભાવ ઘટતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રજાજનોમાં ખુશી છે. સાબરડેરીએ તહેવાર ટાણે જ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. અગાઉ ઘીનો પ્રતિ કિલોએ 669 રૂપિયા ભાવ હતો જેમાં 29 રૂપિયાનો ભાવ ધટાડો કરતા હવે 640 રૂપીએ પ્રતિ કિલોના ભાવે ઘીનું વેચાણ થશે. સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આજથી જ અમલમાં આવ્યા છે. સાબરડેરી દ્વારા વેચાણ કરતી મંડળીઓ અને સાબરડેરી સંચાલિત પાર્લરને ભાવ ઘટાડાની લેખિત જાણ કરવામાં આવી છે.
ભેળસેળ યુક્ત ઘીને આ રીતે ઓળખો
જો તમે પણ બજારોમાંથી ઘી ખરીદી રહ્યા છો અને તેનું સેવન કરો છો. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. નકલી ઘીનું સેવન કરવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે કયા ઘીનું સેવન કરવું જોઈએ. આ સિવાય બજારોમાં વેચાઈ રહેલા સાચા અને નકલી ઘીની ઓળખ કેવી રીતે કરવી? જેમાં તમે તેને ગરમ કરીને વાસ્તવિક અને નકલી ઘી ઓળખી શકો છો. જો ઘી ગરમ થાય અને પીગળી જાય તો તે બ્રાઉન થઈ જાય છે. આ સ્થિતિમાં તમારું ઘી શુદ્ધ છે. જ્યારે તમારું ઘી ઓગળવામાં સમય લાગી રહ્યું છે.
આ સિવાય, તે પીગળીને આછો પીળો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારું ઘી ભેળસેળયુક્ત અથવા નકલી હોઈ શકે છે. આ સિવાય તમે ઓગળેલા ઘીમાં આયોડિન મીઠાના બે ટીપા ઓગાળીને પણ તેની વાસ્તવિકતા વિશે જાણી શકો છો. આયોડીન સાથે ઘી ભેળવવામાં આવે તો તે જાંબલી થઈ જાય છે. આવી સ્થિતિમાં જાણી લો કે તમારા ઘીમાં સ્ટાર્ચ ભેળવવામાં આવ્યું છે. તમારે આ પ્રકારના ઘીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. એક ચમચીમાં ઘી લઈને તેને તમારી હથેળી પર રાખીને પણ તમે તેના વિશે જાણી શકો છો. જો તમારી હથેળી પર ઘી ઓગળે. આ સ્થિતિમાં તમારું ઘી શુદ્ધ છે. જો તે ઓગળે નહીં. આ કિસ્સામાં તમારું ઘી નકલી છે.