By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધર્મનું સાચું જ્ઞાન આપનાર સહજાનંદ સ્વામી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધર્મનું સાચું જ્ઞાન આપનાર સહજાનંદ સ્વામી

Last updated: 2025/03/27 at 3:34 PM
4 months ago
Share
ધર્મનું સાચું જ્ઞાન આપનાર સહજાનંદ સ્વામી
SHARE

બાળક ઘનશ્યામ ખૂબ જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તે ખૂબ જ વિચારશીલ હતા. ઘનશ્યામ વિશે એવું કહેવાય છે કે સાત વર્ષની ઉંમર સુધી પહોંચતાં-પહોંચતાં તેમણે વેદો, ઉપનિષદો, પુરાણો અને રામાયણ સહિતના તમામ ગ્રંથો કંઠસ્થ કરી લીધા હતા. તેમનો મોટાભાગનો સમય તો ત્યાગીની જેમ કથા, કીર્તન અને પ્રભુપારાયણમાં જ વિતાવતા હતા.

માતા-પિતાનાં મૃત્યુ પછી અગિયાર વર્ષની ઉંમરે બાળ ઘનશ્યામ એક રાત્રે વરસતા વરસાદમાં કોઈને પણ કહ્યા વગર ચાલી નીકળ્યા. સવારે ઊઠીને ઘનશ્યામને ઘરમાં ન જોતાં ભાઈઓએ તેમની શોધ કરી, પરંતુ તેમની ક્યાંય ભાળ ન મળી. બીજી તરફ બાળ ઘનશ્યામ નીલકંઠ નામ ધારણ કરીને નદીઓ, જંગલો, પહાડોને ખેડતાં-ખેડતાં અનંતની શોધમાં નીકળી પડ્યા. તેઓ નેપાળ તરફ હાડ થીજવી નાખતી ઠંડીમાં અને હિમાલયની ગોદમાં રહ્યા તો ક્યાંક રસ્તામાં જેમનો ભેટો થયેલો તેવા ગોપાલમુનિ નામના એક મહાત્મા પાસેથી યૌગિક ક્રિયાઓનો અભ્યાસ પણ કર્યો. પોતાની સફર દરમિયાન તેઓ કેટલાયે યોગીઓ, મુનિઓ અને મહાત્માઓની સાથે સત્સંગ કરતા, પરંતુ જેની શોધ માટે ઘનશ્યામ નીલકંઠ નામ ધારણ કરીને ફરતા હતા તેવો આદર્શ આશ્રમ તેમને હજુ સુધી ન મળ્યો. રામેશ્વર, ભીમનાથ, પંઢલપુર, વિષ્ણુકાંચી, વેંકટાદ્રી વગેરે સ્થળોની મુલાકાત પણ તેમણે લીધી હતી.

સતત સાત વર્ષ સુધીની પોતાની અનંતની શોધ માટેની યાત્રા ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના લોજ ગામમાં આવીને સંપન્ન થઈ. આ ગામમાં તેમની મુલાકાત રામાનંદ સ્વામીના શિષ્ય અને ઉદ્વવ સંપ્રદાયના સ્થપાક એવા મુક્તાનંદ સ્વામી સાથે થઈ. મુક્તાનંદ સ્વામીની વિદ્વતા જોઈને નીલકંઠને તેમના ગુરુ રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા થઈ. રામાનંદ સ્વામી એક યાત્રા માટે બહાર ગયા હોવાથી નીલકંઠ થોડા દિવસ સુધી આશ્રમમાં રોકાઈ ગયા અને રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામાનંદ સ્વામી પોતાની યાત્રા પૂર્ણ કરીને પરત ફરે છે ત્યારે તેઓ નીલકંઠને મળે છે. માત્ર અઢાર વર્ષના આ કિશોરના જ્ઞાન કૌશલ્યથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે નીલકંઠને સંન્યાસી તરીકે દીક્ષા આપી સાથે પોતાના પંથના આગામી આગેવાન તરીકે ઘનશ્યામ(નીલકંઠ)ની નિમણૂક કરી.

ઈ.સ. 1802માં જ્યારે સ્વામી રામાનંદ સમાધિસ્થ થયા ત્યારે શિષ્ય પરંપરા મુજબ નીલકંઠ સહજાનંદ નામે સ્વામી ગાદી પર આવ્યા અને ઉદ્વવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. તેમણે અનેક લોકકાર્યો પણ કર્યાં. તેમણે પ્રચારકાર્ય કરીને લોકોને જાતજાતનાં દુર્વ્યસનોથી બચાવ્યા અને સાચા માર્ગે વાળવાની પહેલ કરી. ભગવાન સ્વામિનારાયણે ઈ.સ. 1826માં વડતાલ તેમના નિવાસ દરમિયાન પોતાના હજારો અનુયાયીઓ અને ભક્તો માટે 202 સૂત્રોની સંસ્કૃત ભાષામાં શિક્ષાપત્રી તૈયાર કરી હતી. જે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો છે. સહજાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન સતત પ્રભુભક્તિ કરી તથા હરિભક્તોને ધર્મનું સાચું જ્ઞાન આપ્યું અને સંપ્રદાય પ્રત્યે લોકજાગૃતિ ફેલાવી હતી.

અંતિમ સમય ગઢડામાં વિતાવ્યા બાદ બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા મેળવી સંવત 1886ની જ્યેષ્ઠ સુદ દસમને મંગળવારના રોજ બપોરના મધ્યાહ્ને ઓગણપચાસ વર્ષ, બે માસ અને એક દિવસની જીવનયાત્રા કરીને તેઓ અક્ષરવાસી થયા.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
હેલ્થ

Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર

By 5 days ago
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?