- રાજકોટ-જામનગર રોડ પરના પુલને કરાયો આજથી બંધ
- જર્જરિત પુલના નવીનીકરણના કામને લઈ નિર્ણય લેવાયો
- રૂ.74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવાશે
આજથી રાજકોટ-જામનગર રોડ ઉપર સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર નામુ બહાર પાડી ડાયવર્ઝન અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં ચાર દાયકા જૂના જર્જરિત પુલનું નવીનીકરણનું કામ શરૂ થશે. જેમાં 74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવવા તૈયારી શરૂ કરાઇ છે. તથા 2 વર્ષ કામકાજ ચાલશે.
ડાયવર્ઝન રૂટ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું આપ્યુ
રાજકોટમાં સાંઢિયા પુલને પરિવહન માટે કરાયો બંધ કરાયો છે. જેમાં રાજકોટ-જામનગર રોડ પરના પુલ માટેના ડાયવર્ઝન રૂટ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું આપ્યુ છે. જર્જરિત પુલના નવીનીકરણના કામને લઈ નિર્ણય કરાયો છે તથા રૂ.74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવાશે.
સાંઢીયા પુલ ઉપર બુધવારથી પરિવહન બંધ
રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા પુલ ઉપર બુધવાર એટલે આજથી પરિવહન બંધ થયુ છે. સાંઢીયા પુલના નવીનીકરણ માટે શહેર પોલીસ કમિશનરે પરિવહન બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂપથી ભુવનેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રસ્તે માત્ર ટુ વ્હીલર બંને તરફ ચાલી શકશે અન્ય વાહનો માટે વન વે રહેશે. હેવી વાહનો માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા અન્ય રસ્તાનો ઉપયોગ કરશે.
સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે
રાજકોટ જામનગરને જોડતા સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. સાડા ચાર દાયકા પહેલા સાંઢીયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે. વળી નબળો પણ જણાય રહ્યો છે. ત્યારે મનપાએ 68 કરોડના ખર્ચે ફોર લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે.જેમાં પુલની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવાનું જરૂરી હતું અને આ માટે મંદિરની જમીન સંપાદિત કરી એરપોર્ટ ફાટક પાસેથી ડાયરેકટ જામનગર રોડ તરફ નિકળી શકાય તે માટે રસ્તો પહોળો કરાયો છે. રસ્તાનું મેટલિંગ કામ પુરૂ થયું છે અને હવે ડામર રોડ બની ગયો છે.


