- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તપાસ ચાલુ
- મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
- સંજય રાઉતે કહ્યું ઈડી ભાજપના ઈશારે કામ કરે છે
મની લોન્ડરિંગની તપાસના મામલામાં આજે EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે જોડાયેલા લોકોના ઘરની તપાસ કરી રહી છે. આ કાર્યવાહી પર સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. ED મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના નિવાસસ્થાન અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય લોકો સહિત લગભગ 10 સ્થળોએ સર્ચ કરી રહી છે. ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. હવે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “ED એ ભાજપની વિસ્તૃત શાખા છે, RSS પછી, જો ભાજપ કોઈનું સન્માન કરે તો તે EDને માન આપે છે. EDએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમની રમત રમી છે… અજિત પવાર વડાપ્રધાન પોતે જ આ વિશે કહ્યું હતું, પરંતુ શું ED ત્યાં પહોંચ્યું હતું?…” તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના પરિસરમાં સર્ચ કરી રહ્યા છે.
ઈડીના દરોડા પર દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું- ‘આપને ડરાવવાનો પ્રયાસ’
મની લોન્ડરિંગની તપાસના મામલામાં આજે ઈડીની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની ઘરની તપાસ કરી રહી છે. આ કાર્યવાહી પર સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. ઈડીએ મની લોન્ડરિંગની તપાસના ભાગરુપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના નિવાસસ્થાન અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકો સહિત લગભગ 10 સ્થળોએ સર્ચ કરી રહી છે.
ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમમાં ગેમ રમી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હવે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે, ઈડી એ ભાજપની વિસ્તૃત શાખા છે, આરએસએસ પછી જો ભાજપ કોઈનું સન્માન કરે છે તે તે ઈડીને માન આપે છે. ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમમાં ગેમ રમી છે. અજીત પવારે વડાપ્રધાન મોદી વિશે શું કહ્યું હતું? પરંતુ શું ઈડી ત્યાં પહોચી હતી?
લોકશાહી હત્યા છેઃ સંજય રાઉત
શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘર પર EDના દરોડા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘આ પણ લોકશાહીની હત્યા છે. દેશમાં કોઈ સરકાર વિરુદ્ધ બોલે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા માત્ર ચંદીગઢમાં જ નથી થઈ, સમગ્ર દેશમાં થઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવું બન્યું છે.સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે કંઈ કહેતી નથી. તે શું કરી રહી છે?આ જનતાનો પ્રશ્ન છે.
અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
મહત્ત્વનું છે કે, ઈડીના અધિકારીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સચિવ બિભવ કુમાર અને દિલ્હી જળ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સલભ કુમાર અને અન્ય કેટલાકો લોકોના ઘરે સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે. આ મુદ્દે આપના નેતા અઆતિશીએ કહ્યું હતું કે, અમારી પાર્ટીને નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે ડરવાના નથી.
આપના નેતા આતિશી એ શું કહ્યું?
આજે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આપના નેતા આતિશીએ ઈડીના દરોડાને લઈને ઘણા મોટા ખુલાસા કર્યાં છે, આતીશીએ કહ્યું છે કે, અમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે, અમે ડરવાના નથી. ઈડી દરોડા પછી પૈસા રિકવર થઈ રહ્યાં છે, પરંતુ બે વર્ષ અને ઘણા દરોડા પછી પણ પૈસા મળ્યાં નથી. બીજી મહત્ત્વની વાત જુબાની છે, પરંતુ તેઓને પણ કોઈ જુબાની મળી નથી. આજે હું ખુલાસો કરીશ કે કેવી રીતે ઈડીએ સમગ્ર નિવેદનને ખોટું ઠરાવ્યું, ઘણા સાક્ષીઓ આગળ આવ્યા અને કહ્યું કે તેમના નિવેદનો દબાણ હેઠળ લેવામાં આવ્યા હતા. એક સાક્ષીએ કહ્યું કે ‘મારા કાન પર જોરથી થપ્પડ મારવામાં આવી હતી.’ બીજા સાક્ષીને પૂછવામાં આવ્યું, ‘તમારી દીકરી કોલેજ કેવી રીતે જશે?’ જ્યારે ત્રીજાને કહેવામાં આવ્યું કે ‘તારી પત્નીનું ધ્યાન અમે રાખીશું.’


