- AAPના સાંસદ સંજય સિંહને જેલમાંથી મુક્તિ
- અરવિંદ કેજરીવાલના ઘરે જઇ શકે છે સંજય સિંહ
- સંજય સિંહને સુપ્રીમ કોર્ટે 6 મહિના બાદ જામીન આપ્યા
AAPના નેતા સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટે 6 મહિના બાદ જામીન આપ્યા હતા. જોકે ઔપચારિકતાઓ પૂરી થવાને કારણે તેને મુક્ત કરી શકાયા ન હતા. હવે જામીનનો આદેશ તિહાર જેલમાં પહોંચી ગયો છે અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
AAPના વરિષ્ઠ નેતા સંજય સિંહ 6 મહિના તિહાર જેલમાં રહ્યા બાદ આજે બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા જ તેમને જામીન આપ્યા હતા. સંજય સિંહ બહાર આવતાની સાથે જ સૌથી પહેલા અરવિંદ કેજરીવાલના ઘરે જશે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલને મળશે. AAP નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ તપાસ એજન્સીએ કહ્યું હતું કે, તેમને સંજય સિંહને જામીન આપવામાં કોઈ વાંધો નથી. જે બાદ તેને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
AAPના સાંસદ સંજય સિંહ 6 મહિના બાદ દિલ્હીની તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ સંજય સિંહે કહ્યું હતું કે, આ સમય ઉજવણી કરવાનો નથી પરંતુ સંઘર્ષ કરવાનો છે. જેલના તાળા તોડી નાખશે અને તમામ નેતાઓને મુક્ત કરવામાં આવશે’
સંજય સિંહ જેલમાંથી મુક્ત થયા બાદ AAP કાર્યાલય જશે
અનિતા સિંહે જણાવ્યું કે, સૌપ્રથમ સંજય સિંહ પાર્ટી કાર્યાલય જશે અને ત્યાં કાર્યકર્તાઓને સંબોધિત પણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય સિંહ પહેલા CM ઘરે જશે અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળશે. સંજય સિંહ જેલમાંથી મુક્ત એ લોકસભા ચૂંટણી માટે અને કેજરીવાલને AAP પાર્ટીને વધુ મજબૂત કરવા માટે સાથે મળ્યો છે તેવું કહી શકાય.


