By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મૌન અને નમ્રતાના ગુણાધિકારી સંતકવિ તુકારામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મૌન અને નમ્રતાના ગુણાધિકારી સંતકવિ તુકારામ

agragujaratnews
Last updated: 2024/03/14 at 5:35 AM
1 year ago
Share
મૌન અને નમ્રતાના ગુણાધિકારી સંતકવિ તુકારામ
SHARE

તુકારામનો જન્મ ઈ.સ.1608માં અને મૃત્યુ ઈ.સ.1649માં થયું હતું. (આ બાબતે અનેક મત પ્રવર્તે છે) જન્મસ્થળ હતું મહારાષ્ટ્રના પૂનાની ઉત્તરે આવેલી ઈન્દ્રાયણી નદીના કાંઠે વસેલું દેહૂગામ. તેમની પહેલી પત્ની બીમાર હોવાથી જીજાબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ સંતાન હતાં. સમય એકસરખો રહેતો નથી. તે ન્યાયે તુકારામના જીવનમાં પણ દુ:ખનાં વાદળો ઘેરાયાં. તેઓ સત્તર-અઢાર વર્ષના થયા ને માતા-પિતા તથા મોટાભાઈનાં પત્ની સ્વર્ગવાસી થયાં. મોટા ભાઈ તીર્થાટન કરવા ગયા તે પાછા જ ન ફર્યા. એટલે ઘરનો બધો કારભાર તુકારામ પર આવી પડ્યો. તેમનો વંશપરંપરાગત શાહુકારીનો ધંધો હતો. તેમણે દરિદ્રતાના સમયમાં પણ પોતાના ભાગમાં આવેલા ધીરેલા પૈસાના દસ્તાવેજોને ઈન્દ્રાયણી નદીમાં પથ્થર બાંધીને ડુબાડી દીધા હતા. કેવો ઉદાર સ્વભાવ! ભાંગી પડેલા તુકારામને કાવ્યના અભંગોએ પરમાર્થના રસ્તે વાળ્યા.

ધન્ય તોચિ પ્રાણિ ક્ષમા જ્યાયે

અંગી ન ભંગે પ્રસંગી ધૈર્યબલ

તે જ મનુષ્ય ધન્ય છે જેનામાં ક્ષમા છે અને કઠિન પ્રસંગે પણ જેનું ધૈર્યબળ ભાંગી પડતું નથી. બીજાની ભૂલો, તેમનો ક્રોધ, ઉદ્ધતાઈને જે માગ્યા વિના જ ક્ષમા આપી શકે તે માનવ જ સંત છે. તેઓ વિઠ્ઠલનાથની ખરા હૃદયથી ભક્તિ કરતા હતા. તેમની સાધુતાથી શિવાજી મહારાજ પણ પ્રભાવિત થયા હતા. તેઓ લોકોને કાવ્યાત્મક ઉપદેશ આપતા હતા. તેમના દ્વારા લેખિત અભંગોમાં કુળ, જાતિ, પરિવારની સ્થિતિ, સમાજની દુર્દશા, જાતિ-જાતિ વચ્ચેના ઝઘડા, ધૂર્તોની બોલબાલાનો ઉલ્લેખ જોવા મળે છે. સાથે સાથે સમાજની ઉન્નતિ, આત્મિક ઉન્નતિની લાગણી પણ તેમાં જોવા મળે છે. તેમનામાં પ્રભુભક્તિ અને કાવ્યનો અદ્ભુત સમન્વય હતો. તેમણે જે માનવતાનું સપનું જોયું તેને જીવી પણ બતાવ્યું હતું. દયા, સહિષ્ણુતા, ભક્તિ, આનંદ, આદર વગેરે જેમના સ્વભાવમાં સરળતાથી વણાયેલાં હતાં તેવા તુકારામે ક્રોધને પણ જીત્યો હતો. આ વાતનું સમર્થન કરતાં પ્રભુભક્તિમાં તરબોળ તુકારામના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો વિશે જાણીએ.

ઉદારતા, શાંતિનો પરિચય

તુકારામ એક દિવસ શેરડીના સાંઠા લેવા બજારમાં પહોંચ્યા. દસ શેરડીના સાંઠા ખરીદ્યા પછી તેઓ ઘરે પરત ફર્યા. રસ્તામાં કેટલાંક બાળકો રમતાં હતાં. તેમણે તુકારામને જોયા કે તરત જ તેમને ઘેરી વળ્યાં. નિર્દોષ બાળકો સાથે તુકારામ પણ નાના બની ગયા અને ઘેલા બની રમવા લાગ્યા. ભરપેટ રમી લીધું, વાતો કરી લીધી પછી તુકારામ ઘરે જવા ઊપડ્યા. તો બાળકોએ તેમની સામે હાથ લાંબો કર્યો. તેમનામાં તો `આ મારું છે તો કોઈને ન આપું’ તેવો ભાવ હતો નહીં. તેમણે તો દરેક બાળકને શેરડીનો એક-એક સાંઠો આપી દીધો. ઘરે પહોંચ્યા ત્યારે તુકારામ પાસે એક જ સાંઠો હતો.

બારણે તેમનાં પત્ની રાહ જોતાં ઊભાં હતાં. તેમણે તુકારામના હાથમાં શેરડીનો એક જ સાંઠો જોઈને તેમના સ્વભાવ પ્રમાણે બાકીના સાંઠા વહેંચી દીધા છે તેવું પામી ગયા. તુકારામ ઘર પાસે આવતાં જ તે તાડૂકી ઊઠ્યાં, તમે તો દાનેશ્વરી કર્ણની જેમ વર્તો છો. સંતે કશો જ જવાબ આપ્યા વિના સાંઠો પત્નીના હાથમાં મૂક્યો. તો તેમને વધુ ગુસ્સો આવ્યો `લઈ જાવ આને, બાકીના સાંઠા આપી દીધા તો આને પણ આપી જ દેવો હતોને? આને શું કરવા લાવ્યા છો?’ તેમ કહી સાંઠો પતિના બરડામાં એટલો જોરથી માર્યો કે સાંઠાના બે ટુકડા થઈ ગયા, પણ તુકારામ જેનું નામ મીઠું હાસ્ય વેરતા ઊભા રહ્યા. પછી બોલ્યા, `બરાબર છે, બરાબર છે. હું જાણતો હતો.’, `શું જાણતા હતા?’ પત્નીએ છણકો કર્યો.

તુકારામ બોલ્યા, `હું જાણતો હતો કે મને મૂકીને તું એકલી શેરડી નહીં ખાય. તું તો મારી અર્ધાંગના કહેવાય. મને અડધો ભાગ આપ્યા વિના તું ખાય ખરી? સાથે જ તેં અર્ધાંગનાનો ધર્મ નિભાવ્યો છે.’ આટલું કહી તેઓ શેરડી ચૂસવા લાગ્યા. પતિની ઉદારતા અને શાંતિને જોઈને તેમની પત્નીની આંખમાં આંસુ આવી ગયાં.

પ્રેમાળ હૃદયની ઝાંખી

સંત તુકારામની અક્રોધ સ્વભાવની વાતો ચારે તરફ ફેલાઈ હતી. ટીખળિયા સ્વભાવના કેટલાક લોકોએ વાતવાતમાં એવી શરત લગાવી કે જે માણસ તુકારામને ગુસ્સે કરે તેને ઈનામ મળે. આ ટોળામાં સામેલ એક વ્યક્તિએ આ બીડું ઝડપી લીધું. ભજન કરતાં તુકારામના ખોળામાં જઈને તે બેસી ગઈ. તુકારામે તો નાના બાળકને પંપાળતા હોય તેમ વહાલ કરવા લાગ્યા. પેલાએ બીજી યુક્તિ વિચારી. તુકારામની પત્નીની પીઠ પર તે ચડી બેઠો. તુકારામે આ જોઈને પોતાની પત્નીને કહ્યું, `આ પડી ન જાય તેનું ધ્યાન રાખજે!’ બીજી વાર પણ તે વ્યક્તિ નિષ્ફળ ગઈ. તે સમજી ગઈ કે જેણે ક્રોધ પર જબરદસ્તી નહીં, પણ સ્વભાવગત જ કાબૂ મેળવ્યો હોય તુકારામની સામે તેની કોઈ વિસાત નથી. સંત તુકારામ કહેતાં કે માનસિક શાંતિ મૃદુતા, દયાભાવ, શ્રદ્ધા, તીર્થસ્થાનોનાં દર્શન, પૂજા-પાઠ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી નહીં, પરંતુ મન-આત્મામાંથી મળે છે. તીર્થસ્થળોના આંટાફેરા ત્યારે જ સફળ થાય જ્યારે વ્યક્તિ તનથી જ નહીં મનથી પણ શુદ્ધ થતી હોય. આ વાતનો એક પ્રસંગ –

સ્વભાવ પર કાબૂ નહીં પરિવર્તન લાવો

તીર્થયાત્રાએ જઈ રહેલા કેટલાક ભક્તો સંત તુકારામને સાથે લઈ જવા તથા તેમના આશીર્વાદ લેવા આવ્યા. તુકારામે કહ્યું, `મારાથી તો અવાય તેમ નથી, પરંતુ આ મારી તૂંબડીને સાથે લઈ જાઓ. દરેક તીર્થક્ષેત્રમાં તેને સ્નાન કરાવજો’ ભક્તોએ એવું જ કર્યું. અનેક પવિત્ર સ્થળોએ યાત્રા કરીને પાછા આવ્યા અને તુકારામને તૂંબડી પાછી આપી. પછી તુકારામે તે જ તૂંબડીનું શાક બનાવીને ભક્તોને પીરસ્યું. ભક્તોએ શાક ચાખીને થૂંકી દેતાં કહ્યું કે આ તો ખૂબ કડવી છે. તુકારામે પૂછ્યું, `આટઆટલાં તીર્થસ્થાનોમાં આને સ્નાન કરાવ્યું તો પણ તે કડવીની કડવી કેમ રહી?’ ભક્તોએ જવાબ આપ્યો, `તેનો સ્વભાવ જ એવો છે. પછી તીર્થ શું કરે?’ તુકારામે કહ્યું, `ઠીક. ગમે તેટલી યાત્રા કરીએ પણ આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે પણ તૂંબડી જેવા કડવા જ રહીએ.’

મૌન અને નમ્રતા સામે ક્રોધ પણ નમે છે

સંત તુકારામનાં ભજનો સાંભળવાં એક વ્યક્તિ રોજ આવે, પણ કાયમ તેમની નિંદા કર્યે રાખે. એક વાર તો તેમની સાથે લાગ જોઈને ઝઘડવા જ લાગી. બન્યું એવું હતું કે તુકારામની ભેંસ ચરતાં-ચરતાં તે વ્યક્તિના વાડામાં પેસી ગઈ હતી. ભેંસે થોડું ઘાસ ખાઈ લીધું છે તેવું ધ્યાનમાં આવતાં જ તે વ્યક્તિ તુકારામને ગમે તેવા અપશબ્દો બોલવા લાગી, પણ તુકારામ તો સામે એક શબ્દ બોલ્યા વિના મૌન જ રહ્યા. એટલે પેલી વ્યક્તિ ઉશ્કેરાઈને વધુ ઝઘડવા માંડી અને ગુસ્સામાં ને ગુસ્સામાં બાવળની શૂળ તુકારામની પીઠમાં ભોંકી દીધી. તુકારામે શૂળ કાઢતાં લોહીની નદી વહેવા લાગી.

પછી તો પેલી વ્યક્તિ જતી રહી અને સાંજ પડી. ભજનનો સમય થતા તુકારામ તો ભજન કરવા બેઠા. તેમણે જોયું બાકીના બધા તો હાજર હતા, પણ તેમની સાથે ઝઘડનાર વ્યક્તિ ગેરહાજર હતી. ભજન શરૂ કરવાના બદલે તુકારામ તે વ્યક્તિના ઘરે પહોંચ્યા. જઈને કહેવા લાગ્યા, `ભાઈ, મારી કંઈ ભૂલ થતી હોય તો તારી માફી માંગું છું, પણ મારી ભૂલના કારણે તું પ્રભુભજન ન સાંભળે તે તો કેવો ન્યાય?’ પેલી વ્યક્તિ શરમની મારી પાણી-પાણી થઈ ગઈ. તે ભજનમાં આવવા તૈયાર થઈ અને ભક્તિપૂર્વક ભજન કર્યાં. ભજન પત્યા પછી તે તુકારામના પગમાં પડી કહેવા લાગ્યો. `મને માફ કરશો. તમારા જેવા સંત અને ક્યારેય ક્રોધ ન કરનાર પર ગુસ્સો ઠાલવ્યો છે. તમારું મૌન અને નમ્રતાની જીત થઈ અને મારા ક્રોધની હાર’

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ
રાષ્ટ્રિય

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

By 4 hours ago
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?