- મારે બાબુભાઈને જવાબ આપવાની જરૂર નથી
- જવાબદારી સિવાય જે કામ અપાયું તે પણ કામ કર્યું છે
- 180 મતદારોનો ભરોસો અને હિત જોવાનું છેઃ રાદડિયા
ઈફ્કોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. આ સાથે જ જયેશ રાદડિયાની જીતનો વિવાદ વકરી રહ્યો છે. આ સમયે રાદડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જયેશ રાદડિયાએ કહ્યું કે લાખો લોકોનો સાથ અને સહકાર મળ્યો તે માટે તેમનો આભારી છું. ચૂંટણી દેશ લેવલની હતી. અલગ રાજ્યોના પ્રતિનિધિ આવે છે અને 24મીએ સમગ્ર બોર્ડે નિર્ણય કર્યો કે એકસાથે ફોર્મ ભરાશે. ત્યારે કોઈ મેન્ડેટ ઈશ્યૂ હતો નહીં.
મને આજ સુધી મેન્ડેટની જાણ નથીઃ રાદડિયા
મને આજ સુધી મેન્ડેટની જાણ નથી. મનસુખ ભાઈ પણ હાજર હતા. અમે તાકાતથી વિધાનસભામાં કામે લાગ્યા. સાથે જ ભાજપના નેતૃત્વએ સૌરાષ્ટ્રની જવાબદારી આપી તેને માટે કામ કર્યું. બાબુ નસીમની પ્રતિક્રિયાને લઈને તેઓએ કહ્યું કે મારે તેમને જવાબ આપવાની જરૂર નથી. પગલા ત્યારે લેવાય કે મેં ભાજપની વિરુદ્ધમાં કામ કર્યું હોય. મેં પાર્ટી માટે જવાબદારીથી કામ કર્યું છે. જવાબદારી સિવાય જે કામ અપાયું તે પણ કામ કર્યું છે. મેં મારી ઈમાનદારી રાખી છે.
સહકારી ક્ષેત્રના હિત માટે કામ કરીએ છીએ
મારે કોઈને જવાબ આપવાનો નથી. તેઓ તેમનો ભૂતકાળ જુએ તો ઘણું છે. રાજકોટના ખેડૂતો, મંડળીઓએ ભરોસો મારા પર દાખવ્યો છે. સહકાર સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. તેમના હિત માટે કામ કરીશું. 180 મતદારોનો ભરોસો અને હિત જોવાનું છે. કોઈ સામાજિક સંસ્થાએ વચ્ચે આવવું નહીં. હું રાજનીતિના મેદાનમાં કાયમ રહું જ છું.


