તા.૧૩ જૂન અગાઉ તપાસ પૂર્ણ કરવા સરકારનો આદેશ: વધુ બાળકો બેસાડે તો આરટીઓ અને પોલસને જાણ કરવા સૂચના
રાજકોટના અગ્નિકાંડમાં સૌવથી વધુ બાળકોનો ભોગ લેવાયો છે. ત્યારે સરકાર સફાળી જાગી છે. શાળામાં બાળકોને લઈ જવા મૂકવા માટે રિક્ષા અને વાંનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાળકોને બેસાડવામાં નિયમ ભંગ થતો હોય છે. ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવે છે. જે અંગેની તપાસ કરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે.ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવશે તો તેની જવાબદારી શાળા સંચાલકની રહેશે. અને આ અંગેનો રિપોર્ટ તા.૧૩ જૂન પહેલા આપવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વધુ બાળકો બેસેલા જણાય તો વાલી કે સંચાલકે તાકીદે આરટીઓ અને ટ્રાફિક પોલિસને જાણ કરવાની રહેશે.
પ્રાથમિક શિક્ષણ નિયામક અને ને સ્કૂલ નિમાયક દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પપરિપત્ર કરીને સ્કૂલ સેફ્ટી પોલિસી ૨૦૧૬નો કડકાઈથી અમલ કરવા અને સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહન માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આદેશ કરવામા આવ્યો છે. તમા તમામ ડીઈઓ-ડીપીઓને ૧૩મી જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ કરવા માટે આદેશ આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાનટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનને લઈને સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
સ્કૂલ બસ દ્વારા કે અન્ય વાહનો દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યાવસ્થા કરવાની એવી નાથા સલામતી બાબતે વાલીઓમાં જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. વાલી મીટિંગના એજન્ડામાં પરિવહનમાં માર્ગ સલામતીની બાબત નિયમિત રીતે મુકવાની રહેશે. શાળામાં બાળકોને લાવવા લઈ જતા વાહનો જેવા કે રીક્ષા અને વેનમાં બાળકોને વધુ સંખ્યામાં ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. રીક્ષા કે વેનમાં વધુ બાળકો બેસેલા જણાય તો તે અંગે સ્કૂલ સંચાલકે તથા વાલીઓએ તાકીદે સંબંધિત આરટીઓ અને ટ્રાફિક પોલીસને જાણ કરવાની રહેશે. આ તમામ સૂચનાઓનો સ્કૂલોમાં અમલ થાય તેની ચકાસણી ડીઈઓ-ડીપીઓએ કરવાની રહેશે.મહત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરો અને સ્કૂલ નિયામક કચેરી દ્વારા પરિપત્રો તો કરી દેવાય છે. પરંતુ ડીઇઓ-ડીપીઓ પાસેથી ખરેખર રિપોર્ટ લઇને તેના પર કોઇ કાર્યવાહી થશે કે નહીં. ઉપરાંત અમલ ન થાય તો શું કાર્યવાહી થશે. સ્કુલો સામે શું પગલાં લેવાશે તેમજ કેટલી સંખ્યામાં બાળકોને બેસાડવા તે મુદ્દે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. સ્કુલ વર્ધી માટેના મોટા ભાગના વાહનોમાં વેન હોય છે અને જે ગેસ કીટની હોય છે તેમજ આડેધડ બાળકોને બેસાડવામાં આવે છે. પરંતુ તેમ છતાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા માત્ર પરિપત્ર કરીને સંતોષ માની લેવાય છે. સ્કુલ વેન-બસમાં આવતા-જતા બાળકોના વાલીઓને ખાનગી સ્કુલ સંચાલકો દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે અને દબાણ કરવામાં આવતું હોય છે તેમ છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી.


