ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાના હ્દયમાં વિશેષ સ્થાન ધરાવતા સે-૨૩ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને ભક્તજનોના કષ્ટને દૂર કરતા તથા શુભ મનોરથો પૂર્ણ કરતા એવા મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન હનુમાનજીની ભક્તિ, સાધના-આરાધનાનો કાર્યક્રમ ચૈત્રી પૂનમ તા.૨૩\૪\૨૦૨૪ ને મંગળવારે ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો હતો. સ્વામી હરિકેશવદાસજીના દિવ્ય આશીર્વાદ સાથે આ પ્રસંગે મંદિરના વિશાળ ચોકમાં હજારો ભક્તજનોની ઉપસ્થિતિમાં શ્રી હનુમાનજીની સમુહ પ્રાર્થના, સંકીર્તન, હનુમાન ચાલીસા પઠન, રામાયણની ચોપાઈઓનું સંકીર્તન, મંત્ર ધુન્ય વગેરે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર સહુ ભક્તજનોને સમુહ આરતીમાં સહભાગી થવાનો લાભ પ્રાપ્ત થયો હતો.આ પ્રસંગે મંદિરના સ્વામી હરિપ્રિયદાસજીએ પ્રાસંગિક આશીર્વચનમાં હનુમાનજી મહારાજનો મહિમા સમજાવી એક નિષ્ઠાથી, શ્રધ્ધાથી ભક્તિ કરવાની ભલામણ કરી હતી.આ પ્રસંગે રાજકીય મહાનુભાવો સહિત ખૂબજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ શ્રધ્ધા અને શિસ્ત સાથે લ્હાવો લીધો હતો.