- આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે ચક્રવાત મિચોંગ
- આગામી 4 કલાકમાં ટકરાય તેવી હવામાન વિભાગે કરી આગાહી
- લોકોને ઘરની બહાર ન નીકળવા કરી અપીલ
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત મિચોંગ આજે આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગંભીર ચક્રવાતી તોફાન મિચાઉંગ આગામી 4 કલાક દરમિયાન બાપતલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90-100 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પાર કરશે. હાલ તે બાપતલાથી 80 કિમી દૂર છે.
આંધ્રમાં 4 કલાકમાં ત્રાટકશે
આ અંગે IMDના DG મૃત્યુજંય મહાપાત્રાએ વાત કરતા જણાવ્યું હતું કે મિચોંગ તોફાન આગામી 4 કલાકમાં ટકરાશે. અત્યારે 90 થી 100 કિમી પ્રતિ કલાકની તેની ઝડપ છે. ચક્રવાતની અસરના ભાગરૂપે દરિયામાં દોઢ મીટરના મોજા ઉછળી રહ્યા છે. જો કે આજે તમિલનાડુમાં ધોધમાર વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ ચક્રવાતની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશમાં જોવા મળશે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશામાં પણ અસર વર્તાશે.
ઘરની બહાર ન નીકળવા અપીલ
IMDના DG મૃત્યુજંય મહાપાત્રાએ વધુમાં જણાવ્યું કે પવન એટલી તેજ ગતિથી ફૂંકાશે કે મોટા મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઇ શકે છે. આ ઉપરાંત લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જો કે આવતીકાલે તોફાનની અસર મહદ અંશે ઓછી જોવા મળશે તેમ જણાવ્યું હતું.
હાલ ક્યાં છે વધુ વરસાદ ?
આંધ્રપ્રદેશ, સુનંદામાં નોંધાયેલા વરસાદ વિશે બોલતા, IMD ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “નેલ્લોરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે, લગભગ 21 સૌથી વધુ વરસાદ બાપતલામાં અને 15 સે.મી. માછલીપટ્ટનમમાં નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ પણ નોંધાયો હતો. હજુ પણ, દક્ષિણ-તટીય આંધ્ર પ્રદેશમાં, આ વરસાદી પટ્ટીઓ છે. આજે પણ આપણે એક-બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. પોર્ટ ચેતવણી. બંદર ચેતવણી હજુ પણ મચલી પટનમથી કૃષ્ણા પટનમ સુધીના તમામ બંદરો જોખમમાં સિગ્નલ નંબર દસ ચાલુ છે. અને કાકીનાડા ડેન્જર સિગ્નલ નંબર નવ અને વિશાખાપટ્ટનમથી કલિંગપટ્ટનમ પોર્ટ એલસી માટે ત્રણ સિગ્નલ ચાલુ છે.”


