- સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ વિરુદ્ધ કાર્યવાહી તેજ
- CBIની કસ્ટડીમાં શાહજહાં શેખની થઇ રહી છે પૂછપરછ
- કોર્ટે શાહજહાં શેખના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખને વીડિયો સામે આવ્યો છે. જેમાં CBIની કસ્ટડીમાં આવ્યાના માત્ર 4 દિવસમાં જ શાહજહાં શેખની વર્તન અચાનક બદલાઇ ગયું કે નાટક કરે છે તેને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જાણે શાહજહાં શેખ કઇ કર્યું જ નથી તેવું વર્તન CBI સામે કરી રહ્યો છે.
સંદેશખાલી કેસમાં ધરપકડ કરાયેલા શાહજહાં શેખને હવે બંગાળ પોલીસમાંથી મુક્ત કરીને સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને ED અધિકારીઓ પર હુમલાના સંદર્ભમાં CBI દ્વારા શેખની પૂછપરછ કરી રહી છે. રવિવારે CBIએ શેખને બસીરહાટ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. નોંધનીય વાત એ છે કે શેખની હાવભાવ માત્ર ચાર દિવસમાં બદલાઈ ગઈ છે. કોર્ટમાં હાજર થવા દરમિયાન શેખના ચહેરા પર તણાવ સ્પષ્ટ જોઈ શકાય છે. શેખનો 11 દિવસ પહેલાનો ઘમંડ હવે સાવ ગાયબ થઈ ગયો હોય તેમ લાગે છે.
ચાર દિવસ પહેલા કલકત્તા હાઈકોર્ટના બીજા આદેશને પગલે બંગાળની સીઆઈડી ટીમે સંદેશખાલી કેસ અને શાહજહાં શેખના કાગળો સીબીઆઈને સોંપ્યા હતા.આના એક દિવસ પહેલા હાઈકોર્ટના આદેશ છતાં બંગાળ પોલીસ દ્વારા સીબીઆઈની ટીમને ખાલી હાથે પરત કરવામાં આવી હતી.કારણ કે બંગાળ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.જો કે, જ્યારે સર્વોચ્ચ અદાલતે તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે બંગાળ પોલીસને સીબીઆઈને સોંપવી પડી.
11 દિવસમાં શેખનું વર્તન બદલાયું
શાહજહાં શેખને સંદેશખાલી કેસ પછી 6 વર્ષ માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી દ્વારા બરતરફ કરવામાં આવ્યા હશે, પરંતુ તેઓ મજબૂત સ્થાનિક સમર્થન માટે જાણીતા છે. શેખના ગૌરવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સંદેશખાલીનો કેસ પ્રકાશમાં આવ્યાના બે મહિના પછી હાઈકોર્ટનું દબાણ હતું ત્યારે જ શેખની ધરપકડ શક્ય બની હતી.
ભાજપના આરોપો
શેખની ધરપકડ બાદથી, ભાજપ આરોપ લગાવી રહી છે કે પશ્ચિમ બંગાળની TMC સરકાર સસ્પેન્ડેડ પાર્ટીના નેતાને રક્ષણ કરી રહી છે, જેના પર જાતીય સતામણી, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન હડપ કરવાનો અને ED ટીમ પર હુમલો કરવાનો આરોપ છે. તેથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે.બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, એક તરફ વડાપ્રધાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો સંદેશ આપી રહ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના સંદેશખાલીની મમતા દીદી ‘શાહજહાં બચાવો’નો સંદેશ આપી રહી છે.


