- બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી
- શાહીન શાહ આફ્રિદી ટી-20 નો બન્યો નવો કેપ્ટન
- શાન મસૂદ ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત
વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે પીસીબીએ શાહીન શાહ આફ્રિદીને ટી-20નો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, વનડે ફોર્મેટ માટે હજુ સુધી કોઈ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેની ટીમે પ્રથમ બે મેચ જીતી હતી અને ત્યારબાદ સતત 4 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ ટીમને નવો કેપ્ટન મળ્યા
વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પીસીબીએ બંને ફોર્મેટ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત પણ કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ ટી20 ટીમનો કેપ્ટન યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હશે. તે જ સમયે, PCBએ શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટ માટે તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
ODI ફોર્મેટમાં નવા કેપ્ટનની સતાવાર જાહેરાત બાકી
અહીં નોંધનીય બાબત એ છે કે પાકિસ્તાને ODI ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ PCBએ હજુ સુધી ટેસ્ટ અને T20 ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરી નથી, જ્યારે ODI ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. જો કે, ક્રિકેટ નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પર અફવાઓ અનુસાર, PCB શાહીન શાહ આફ્રિદીને ODI ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.


