- NCP શરદ ચંદ્ર પવાર જૂથને ચૂંટણી પંચે આપ્યું નવું ચિહ્ન
- ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ ચંદ્ર પવાર’ જૂથે આપ્યું નિવેદન
- “તુતારી’ ફરી એકવાર શરદ પવાર સાથે દિલ્હીની ગાદીને હળવાશે”
શરદ પવારને ચૂંટણી પંચ તરફથી નવું પ્રતીક મળ્યું છે. નવા પ્રતીકમાં એક વ્યક્તિ ટ્રમ્પેટ વગાડતો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં તેને ‘તુતારી’ કહેવામાં આવે છે. પાર્ટીનું નવું ચિહ્ન મળવા પર એનસીપી શરદ ચંદ્ર પવાર જુથએ કહ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મહારાષ્ટ્રના ઈતિહાસમાં દિલ્હીના સિંહાસન માટે ઉભા થયેલા છત્રપતિ શિવરાયની બહાદુરી આજે ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ ચંદ્ર પવાર’ માટે ગર્વની વાત છે.
પાર્ટીએ કહ્યું કે મહારાષ્ટ્રના આદર્શો, ફૂલે, શાહુ, આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજના પ્રગતિશીલ વિચારો સાથે આ ‘તુતારી’ ફરી એકવાર શરદ પવાર સાથે દિલ્હીની ગાદીને હલાવવા માટે તૈયાર છે. શરદ પવાર જૂથના પ્રવક્તા ક્લાઇટ ક્રેસ્ટોએ કહ્યું કે અમારા ઉમેદવારો આ ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડશે.
સુપ્રીમ કોર્ટે ECને પ્રતીક પર આદેશ આપ્યો હતો
6 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી NCP તરીકે જાહેર કર્યું હતું. ચૂંટણી પંચે અજિત પવારના જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાળ’ સોંપી દીધા હતા. શરદ પવારના જૂથે ચૂંટણી પંચને પાર્ટી માટે ત્રણ નામ આપ્યા હતા. તેમાંથી ચૂંટણીએ ‘NCP શરદ ચંદ્ર પવાર’ની પુષ્ટિ કરી હતી. ચૂંટણી પંચે તે સમયે પાર્ટીના ચિન્હ પર પોતાનો નિર્ણય આપ્યો ન હતો. ચૂંટણી પંચના નિર્ણય સામે શરદ પવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 19 ફેબ્રુઆરીએ કોર્ટે આદેશ આપ્યો હતો કે ચૂંટણી પંચને એક સપ્તાહની અંદર ચિહ્ન ફાળવવામાં આવે.
ગત વર્ષે જુલાઈમાં થયું હતું NCPમાં ભંગાણ
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જુલાઈમાં NCPમાં ભાગલા પડ્યા હતા. અજિત પવાર પોતાના સમર્થક ધારાસભ્યો સાથે NDAમાં જોડાયા હતા. તેમની સાથે 8 ધારાસભ્યો પણ NDA ગઠબંધનનો ભાગ બન્યા. પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ અજિત પવારે NCP પર દાવો કર્યો હતો. મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો અને અજિત પવારની તરફેણમાં નિર્ણય આપવામાં આવ્યો. ત્યારબાદ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે સુનાવણી હાથ ધરી હતી. ચૂંટણી પંચના નિર્ણયનો ઉલ્લેખ કરતા રાહુલ નાર્વેકરે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું.


