- નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફ્રૂટમાં ઇયળ
- અમદાવાદના બોપલમાં એક પરિવારને કડવો અનુભવ
- દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફ્રૂટમાં નિકળી ઇયળ
અમદાવાદીઓ મીઠાઈ, ડ્રાયફ્રુટ ખાતા પહેલા ચેતજો. જેમાં નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફ્રૂટમાં ઇયળ જોવા મળી છે. અમદાવાદના બોપલમાં એક પરિવારને કડવો અનુભવ થયો છે. દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફ્રૂટમાં ઇયળ નિકળી છે. સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.
શહેરમાં હવે ડ્રાયફુટમાં પણ જીવાત આવતી થઇ
શહેરમાં હવે ડ્રાયફુટમાં પણ જીવાત આવતી થઇ છે. જેમાં નકલી ઘી , નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં ઇયળ આવી ગઇ છે. બોપલમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફુટમાં ઇયળ નિકળી હતી. સાઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફુટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.
અગાઉ પિત્ઝામાં જીવાત નીકળી હતી
અગાઉ પિત્ઝામાં જીવાત નીકળી હતી. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિત્ઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિત્ઝામાં જીવાત નીકળી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.
તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું
જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું.


