ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે જેમાં સિરીઝની પહેલી મેચ લીડ્સના મેદાન પર રમાશે. આ પ્રવાસથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક નવો યુગની પણ શરૂઆત થવા જઈ રહી છે, જેમાં શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ રમશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ તમામ ફેન્સની નજર તેના પર ટકેલી છે કે આખરે ટીમ ઈન્ડિયા કેવી રીતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર દબાણને સંભાળવા માટે સફળ થશે.
જ્યારે કેપ્ટન શુભમન ગિલને પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે રોહિત અને કોહલીની જગ્યા ભરવી મુશ્કેલ જણાવી અને તે દબાણને કેવી રીતે સંભાળશે તેના પર પણ તેને જવાબ આપ્યો.
રોહિત-કોહલીની જગ્યા ભરવી મુશ્કેલ
શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ સંન્યાસને લઈને પ્રેસ કોન્ફરન્સમાં પૂછેલા સવાલના જવાબમાં કહ્યું કે બંને ખૂબ જ અનુભવી ખેલાડીઓ છે અને તે બંને લાંબા સમય સુધી રમવાની સાથે ટીમને ઘણી મેચોમાં જીત પણ અપાવી છે. તેમની જગ્યા ભરવી મુશ્કેલ છે.
શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર દબાણને લઈને કહ્યું કે દરેક પ્રવાસ પર દબાણ હંમેશા હોય છે અને આ પ્રવાસ પર કોઈ અલગ પ્રકારનું દબાણ નથી, અમે બધા ખેલાડીઓ તેનાથી ટેવાયેલા છીએ. અમે જાણીએ છીએ કે દબાણને કેવી રીતે હેન્ડલ કરવું.
બેટિંગ ઓર્ડર નક્કી કરવા માટે અમારી પાસે છે સમય
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પર તમામ ફેન્સની નજર ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર પર ટકેલી છે. આને લઈને કેપ્ટન શુભમન ગિલને જ્યારે પ્રેસ કોન્ફોરન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે અમે હવે લંડનમાં 10 દિવસનો કેમ્પ કરીશું અને અમે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ પણ રમી રહ્યા છીએ, આવામાં અમારી પાસે બેટિંગ ઓર્ડર નક્કી કરવા માટે પણ સમય છે.