ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ હવે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. આવામાં શુભમન ગિલ હવે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમનું નેતૃત્વ કરશે.
આ દરમિયાન શુભમન ગિલનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેને વિરાટ કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપ વચ્ચેના અંતરને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે બંનેની લીડરશિપ સ્ટાઈલમાં શું અંતર છે અને કેવી રીતે તેને આ દિગ્ગજો પાસેથી કેટલીક ખાસ વાતો શીખી છે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપને કહ્યું જુસ્સાદાર
શુભમન ગિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે હું વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રમતો હતો, ત્યારે તેની મેદાન પરની સક્રિયતા, વિચાર અને યોજનાઓ જોવા જેવી હતી. જો એક યોજના ફેલ થઈ જાય, તો તે તરત જ બીજી યોજના લઈને આવતો. તેનું બોલરો સાથેનું કોમ્યુનિકેશન પણ ખૂબ સારું હતું. ગિલે કહ્યું કે તેને વિરાટ કોહલી પાસેથી ઘણું શીખ્યું છે, ખાસ કરીને ટેસ્ટ મેચમાં દરેક ક્ષણે ફોકસ અને એનર્જી બનાવી રાખવી કેટલી જરૂરી છે.
રોહિત શર્માની કેપ્ટનશિપને જણાવી સ્પષ્ટ અને આક્રમક
ત્યારે રોહિત શર્મા વિશે વાત કરતાં કહ્યું કે રોહિત ભાઈ રણનીતિ બનાવવામાં આક્રમક છે અને તે ટીમના દરેક ખેલાડી સાથે સ્પષ્ટ વાત કરે છે. તે સિરીઝ દરમિયાન હોય કે ત્યારપછી. તે હંમેશા કહે છે કે તે ટીમ અને ખેલાડીઓ પાસેથી શું ઈચ્છે છે.
શુભમન ગિલે વધુમાં કહ્યું કે રોહિત ભાઈનો સ્વભાવ એવો છે કે તે ગુસ્સામાં હોય તો કંઈ પણ કહી દે છે. તે કોઈ ખેલાડી તેના દિલ પર લેતો નથી, કારણ કે દરેક લોકો જાણે છે કે તે માત્ર ટીમને ભલાઈ માટે આવું કરે છે.