- 6 નવેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે
- રાજધાની દિલ્હીના પ્રદૂષણે ICCની ચિંતા વધારી
- બંને ટીમોએ પ્રદૂષણને કારણે પ્રેક્ટિસ મેચ કરી રદ
વર્લ્ડ કપ 2023 ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ખાતે 6 નવેમ્બરના રોજ રમાશે. પરંતુ તેની વચ્ચે દિલ્હીના હવા પ્રદૂષણથી સૌ કોઈ પરિચિત છે. માટે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોએ પ્રેક્ટિસ સેશન રદ કર્યા છે. તો હવે એ જોવુ રહ્યું કે મેચ નિશ્ચિત સ્થાન પર રમાશે કે નહીં….
પ્રેક્ટિસ સેશન રદ કરાયું
વર્લ્ડ કપ 2023 ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હીમાં ખરાબ હવાના કારણે બંને ટીમ આ મેચ રમવા માટે ખુશ નથી. ટીમોએ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન રદ કરી દીધું છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો 6 નવેમ્બરના રોજ થશે.
દિલ્હીની હવાએ ICCની ચિંતા વધારી
આ દિવસોમાં ભારતના ઘણા શહેરોમાં ખરાબ હવા લોકોની ચિંતા વધારી રહી છે. આ દરમિયાન શ્રીલંકા અને બાંગ્લાદેશે દિલ્હીની ઝેરી હવા પર નારાજગી વ્યક્ત કરી છે. બંને ટીમોની ચિંતા બાદ ICCએ કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ તેઓ અરુણ જેટલી સ્ટેડિયમમાં હવાની ગુણવત્તા પર નજર રાખી રહ્યા છે.
બાંગ્લાદેશ સેમિફાઈનલમાંથી થયું બહાર
બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ બુધવારે શ્રીલંકા સામેની આગામી મેચ માટે દિલ્હી પહોંચી હતી. ટીમ શુક્રવારે સાંજે તેના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની હતી પરંતુ ઉચ્ચ પ્રદૂષણને કારણે ટીમ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. શુક્રવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
બાંગ્લાદેશના ખેલાડીઓ થયા બીમાર
બાંગ્લાદેશ ટીમના ડિરેક્ટર ખાલિદ મહમૂદે ટીમ હોટલમાં કહ્યું, “અમે આજે પ્રેક્ટિસ સેશન કર્યું હતું, પરંતુ ગઈકાલથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે તેથી અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા. “અમારી પાસે પ્રેક્ટિસ માટે હજુ બે દિવસ બાકી છે.” તેણે આગળ કહ્યું, “ઘણા ખેલાડીઓ ગઈકાલે બહાર ગયા હતા અને તેમાંથી કેટલાકને ઉધરસની ફરિયાદ છે, તેથી તેની સાથે જોખમ સંકળાયેલું છે. આ તમામ કારણોસર અમે પ્રેક્ટિસ સેશન રદ કરવાનો નિર્ણય લીધો છે જેથી ખેલાડીઓ બીમાર ન પડે.”