ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્નનો અંત આવ્યો છે. સ્મૃતિ અને પલાશ ઘણા સમયથી તેમના લગ્નને લઈને સમાચારમાં હતા. પરંતુ હવે સ્મૃતિએ એક પોસ્ટ દ્વારા તેની પુષ્ટિ કરી છે. સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન રદ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને માહિતી આપી. તેમણે ફેન્સને તેમની પ્રાઈવસીનો આદર કરવા પણ વિનંતી કરી.
ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્નનો અંત
ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્નનો અંત આવ્યો છે. સ્મૃતિ અને પલાશ ઘણા સમયથી તેમના લગ્નને લઈને સમાચારમાં હતા. પરંતુ હવે સ્મૃતિએ એક પોસ્ટ દ્વારા તેની પુષ્ટિ કરી છે.
સ્મૃતિ મંધાનાએ આ પોસ્ટ કરી
તેણે લખ્યું, છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે. મને લાગે છે કે આ સમયે મારા માટે બોલવું મહત્વપૂર્ણ છે. હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું અને હું મારા જીવનને તે રીતે રાખવા માંગુ છું. પરંતુ હું સ્પષ્ટ કરવા માગુ છું કે: લગ્ન રદ કરવામાં આવ્યા છે. આગળ લખ્યું, હું આ બાબતને અહીં જ શાંત પાડવા માંગુ છું. હું તમને બધાને પણ એવું જ કરવા વિનંતી કરું છું.
પલાશ મુછલે આપ્યું મોટું નિવેદન
ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતા, પલાશ મુછલે લખ્યું: મારા જીવનમાં આગળ વધવાનું અને આ અંગત સંબંધથી પાછળ હટવાનું નક્કી કર્યું છે… આપણા શબ્દો એવા ઘા કરી શકે છે જે આપણે ક્યારેય સમજી શકતા નથી… મારી ટીમ ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે.

લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા
આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે સ્મૃતિના લગ્ન અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. પલાશ મુછલ સાથેના તેમના લગ્ન 23 નવેમ્બર, 2025 ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા, પરંતુ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની અચાનક બીમારીને કારણે સમારોહ મુલતવી રાખવામાં આવ્યો હતો. તેમના પિતાને હાર્ટએટેક હુમલાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને પલાશ પાછળથી તણાવ અને થાકને કારણે બીમાર પડી ગયો હતો. ત્યારબાદ લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. મંધાનાએ હવે લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે.


