By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    57 minutes ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    2 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    3 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    4 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રે સોમનાથં ચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સૌરાષ્ટ્રે સોમનાથં ચ

Last updated: 2025/04/24 at 5:54 AM
2 months ago
Share
સૌરાષ્ટ્રે સોમનાથં ચ
SHARE

ભારતમાં આવેલાં ભગવાન શંકરનાં બાર જ્યોતિર્લિંગ વિશ્વભરના શંકર ભગવાનના ભાવિક ભક્તો માટે હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. તે પૈકીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વૈશાખ સુદ પાંચમના દિવસે સોમનાથ પ્રતિષ્ઠા દિન આવે છે.

ઈ.સ. 1947માં ભારત દેશના આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્વાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહારમેરુ પ્રસાદ મંદિરનું અહીં શિલારોપણ ઈ.સ. 1950ના 8મી મેના રોજ થયું. ઈ.સ. 1951ના 11મી મે, વિક્રમ સંવત 2007ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે 9-47 કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી હતી.

 સોમનાથની કથા

સદીઓ પહેલાંની અતિ પવિત્ર એવા પ્રભાસપાટણની વાત છે. આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. આમ એકને બાદ કરતાં બાકીની 26 કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ જ દુ:ખી રહેતી. આ બાબતની જાણ થતાં દક્ષ રાજાએ ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. લાખ પ્રયત્ન કરવા છતાં વાતને ન સમજનાર ચંદ્ર પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, `જા, તું જેના પર અભિમાન કરે છે તેવું તારું તેજ ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ.’

શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું તેજ ગુમાવ્યું. તે આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને મુક્તિ મેળવવા માટે પિતામહ બ્રહ્માજી પાસે ગયા. તેમણે ઉપાય બતાવતાં જણાવ્યું કે ચંદ્રદેવ મૃત્યુંજય ભગવાનની આરાધના કર. ચંદ્ર સમગ્ર દેવતાઓ સહિત પ્રભાસમાં આવ્યા અને ત્યાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના અનુષ્ઠાન કર્યું, મૃત્યુંજય મહામંત્રથી પૂજા અને જાપ થવા લાગ્યા.

છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ મંત્રજાપ પૂર્ણ થયા. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પરંતુ ચંદ્રએ કરેલો અપરાધ ક્ષમા યોગ્ય ન હતો, તેથી તેમણે કહ્યું, `પંદર દિવસ સુધી તારી એક એક કલા વધતી જશે. છેલ્લે પૂર્ણિમાના દિવસે તું પૂર્ણ ચંદ્રના રૂપમાં આવી જઈશ.’

આ રીતે કલાહીન કલાધર ભોળાનાથની કૃપાથી એકવાર ફરી કલાયુક્ત થઈ ગયો. ચંદ્રમાએ આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પરના બાકીના ભક્તોના ઉદ્વાર માટે આ પૃથ્વી પર વસે. તેથી પ્રભાસ ક્ષેત્રમાં જ્યોતિર્લિંગના સ્વરૂપમાં હંમેશને માટે તેમણે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રે ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માન્યા. ત્યારથી ભોળાનાથ પ્રભાસમાં `ચંદ્રના નાથ’ નામથી પૂજાય છે. સોમ એટલે ચંદ્ર. કળિયુગમાં તેઓ `સોમનાથ’ના નામથી પૂજાય છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
રાષ્ટ્રિય

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

By 2 days ago
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?
South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?