- વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો સેમિફાઇનલની રેસમાં
- પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન રેસમાં
- વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો પહેલાથી જ ક્વોલિફાય
વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. ટૂર્નામેન્ટની 39 મેચો બાદ, કઈ ત્રણ ટીમો સેમીફાઈનલ રમશે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રેસમાં યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. 51 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, ‘મને આશા છે કે પાકિસ્તાન વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં જગ્યા બનાવશે. કારણ કે ભારત-પાકિસ્તાનની મેચ વર્લ્ડકપની સૌથી મોટી મેચ હશે.
સૌરવ ગાંગુલીએ કોહલીની પ્રશંસા કરી
પૂર્વ કેપ્ટને ટીમના વર્તમાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, વિરાટ કોહલી મહાન ખેલાડીઓમાંથી એક છે. ઈડન ગાર્ડન્સ ખાતે તેની 49મી સદી જોવી ખૂબ જ સારી હતી. ખાસ કરીને જ્યારે તે છેલ્લી કેટલીક મેચોમાં આ સિદ્ધિ મેળવવામાં ચૂકી ગયો હતો.
પાકિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે
પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલની ટિકિટ કેવી રીતે મળી શકે છે, પહેલી શરત એ છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો તેમની આગામી મેચમાં હારે અને પાકિસ્તાને તેની આગામી મેચ જીતવી જોઈએ. ત્યારબાદ તે 10 પોઈન્ટ સાથે સરળતાથી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. બીજી શરત એ છે કે જો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પોતાની આગામી મેચ જીતે છે તો પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડ સામે મોટી જીત મેળવવી પડશે. આ જીત એટલી મોટી હોવી જોઈએ કે તે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દે. ત્યાર બાદ તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
વર્લ્ડકપમાં ભારતની સ્થિતિ
ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં વિજયરથ પર સવાર છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે. આ દરમિયાન ટીમે તેની તમામ મેચ જીતી લીધી છે. ભારત 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.


