By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 hour ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અધ્યાત્મ યાત્રા કરવી હોય તો કદી ફરિયાદ ન કરો: મોરારીબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અધ્યાત્મ યાત્રા કરવી હોય તો કદી ફરિયાદ ન કરો: મોરારીબાપુ

Editor
Last updated: 2026/01/07 at 5:06 PM
3 months ago
Share
અધ્યાત્મ યાત્રા કરવી હોય તો કદી ફરિયાદ ન કરો: મોરારીબાપુ
SHARE

પ્રેમ કરવો એ પાપ હોય તો ખૂબ પાપ કરો, પણ સાચો હોય તો !

ચમત્કાર પ્રભાવક હોય, સાક્ષાત્કાર સ્વાભાવિક હોય છે  શાંતિ તો સમર્પણથી મળે છે, અપહરણથી નથી મળતી !

અગ્ર ગુજરાત, રાજકોટ

લખીસરાઇની અશોકધામ ભૂમિના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા “માનસ સૃંગિરિષિ     “ ના ચોથા દિદવસે ગઇકાલે કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું કે બાપ આજે ઋગવેદના એક મંત્રથી શરૂઆત કરીએ. હુ મંત્ર, શ્લોક, બોલુ પછી તમે સૌ પણ બોલજો, આપણે શિક્ષિત તો છીએ પણ કથામાં આપણે દિક્ષિત થવા આવીએ છીએ…

ચતવારી સૃંગા ત્રયો અસ્પયાદા

દ્વૈર શિરસ સપ્તહસ્તાઓ અસ્ય !

શૈરવિતિ મહાદેવો મર્ત્યાન સવિશેષ્ !!

આ ઋગવેદના શ્લોકમાં નંદી-વૃષભ (બળદ) ની વાત છે. કોઇપણ નંદીના બે શીંગડા હોય છે પણ આ નંદીને ચાર શિંગ છે, વિચિત્ર છે. ત્રણ પગ છે, બે શિર (માથા) છે. અહીં માનસની દ્રષ્ટિએ કહું તો આ ચાર શિંગ એ માનસના ચાર ઘાટ છે. માનસરના ચાર શિખર છે. જે શિખર પરથી કથા ગવાય છે. કૈલાસ શિખર પરથી મહાદેવ પાર્વતીને રામકથા સંભળાવે છે, નિલગીરી પર્વત કાગ ભુંસુંડીજી ગરૂડને કથા કહે છે. પ્રયાગ ભલે નીચે છે, પૃથ્વી પર છે પણ યારીવલ્કયજી ભારદ્વાજને કથા સંભળાવે. છે ત્યારે એ શિખર પરની કથા છે અને તુલસીજી દીનતાના ઘાટપરથી પોતાના મનને કથા સંભળાવે છે અને એ પણ પાયો પરમ વિશ્રામ કહીને પરમના શિખર પર પહોંચે છે.

શરણાગત સંદર્ભે કોઇએ જીજ્ઞાસા પુછી છે.. શરણાગત હોય એણે કશુ કરવાની જરૂર નથી, કશુંય જાણવાની પણ જરૂર નથી, કશુ વિચારવાની જરૂર નથી અને ખાસ તો એ કે શરણાગતને કશું પામવાની પણ જરૂર નથી. એ પુર્ણ શરણાગતી છે, શરણાગતી એ છે કે જેને કોઇ પ્રશ્ન જ નથી.

તમારા દિલને તમારા હૃદયને પુછો કે શાંતિની ઇચ્છા કોને નથી, લક્ષ્મીની ઇચ્છા કોને નથી ! શકિતની ઇચ્છા કોને નથી! હર કોઇને આ ત્રણ વસ્તુઓની ઇચ્છા છે જ. સીતા એટલે શાંતી, સીતા લક્ષ્મી પણ છે અને આહુલાદીની શકિત પણ છે. રાવણ પાસે બધું જ હતું ધનવૈભવ હતો, બળવાન હતો પણ શાંતિ ન હતી એટલે એને સીતાની જંખના હતી અને શાંતિતો સમર્પણથી મળે છે. અપહરણથી નથી મળતી! શાંતિનો જન્મ સુક્ષ્મ બુધ્ધીથી થાય છે ગીધપક્ષી છે તેની પાસે આંખ અને પાંચ બંને છે પણ સુર્કમ બુધ્ધી નથી એટલે ખુબ ઉંચી ઉડાન ભરીને એ નીચે ધરતી પર જુએ છે તો મડદા! કોઇ જટાયુ જેવા વિરલ હોય છે જે આંખ અને પાંખ બંનેથી સાત્વીક-હકારાત્મક કર્મ કરી શકે છે.

કોની સંગત ન કરવી આપણા શાસ્ત્રોમાં દર્શાવાયું છે. કે ઘનનું અભિમાન હોય એની સંગત ન કરવી, ઉપેક્ષા પણ ન કરવી, પ્રણામ કરીને એની પાસેથી નીકળી જવું. બળનું જેને અભિમાન હોય એનો પણ સંગ ન કરવો, વિદવાનતાનો જેને અહંકાર હોય એવા લોકોનો સંગ ન કરવો. ઘણા લોકો અ કારણ ખોટુ બોલતા હોય છે, કોઇ કારણ વગર ખોટુ બોલ્યા કરે, ઘણા લોકો અકારણ વિરોધ જ કર્યા કરે ! કળા વિષયક અહંકાર હોય એનો પણ સંગ ન કરવો, ઘણા લોકોને એની કળા-કલાનું અભિમાન હોય છે. બાપ, મારી પાસે જીવન કિતાબના ત્રણ પાના છે. ત્રણ પાનાની જીવન કથા છે. સત્ય, પ્રેમ, કરૂણા એ ત્રણ પાનાને ઉંઘેથી-ઉલટા વાંચો તો કરૂણ, પ્રેમ અને સત્ય થાય છે. આપણે રામાયણનો પણ ઉલટી પાઠ કરતા હોઇએ છીએ એમ ઉલટો પાઠ કરૂણા, પ્રેમ અને સત્ય. કોઇની કરૂણા થકી આપણો જન્મ થાય છે એ જીવન કિતાબનું પ્રથમ પાનુ, જન્મ અને મૃત્યુ વચ્ચે પ્રેમ છે. આપણે કેમ એકબીજાને પ્રેમ નથી કરતા ! દ્વેષ્, નિંદા, ઇર્ષા શા માટે! જીવન પ્રેમ કરવા માટે મળ્યું છે અને પ્રેમ કરવો એ પાપ હોય તો, ખુબ પાપ કરો, ખુબ પાપ કરો પણ એ સાચો પ્રેમ હોય તો, પ્રેમ સાચો હોવો જોઇએ. પ્રેમનો અભાવ જ દ્વેષ્ છે. ઓશોએ ખુબ સરસ વાત કરી કે જગતમાં અંધકાર છે જ નહીં. અંધારૂ છે જ નહીં એ તો પ્રકાશનો અભાવ છે એટલે અંધારૂ છે બાકી દુનિયામાં અંધારૂ છે જ નહિં !

રામચરિત માનસના આદિ, મધ્ય અને અંતમાં કેવળ પ્રેમ, પ્રેમ ને પ્રેમ છે. સમજાતુ નથી લોકો કેમ પ્રેમ કરતા નથી એને બદલે દ્વેષ્, નિંદા, ઇર્ષા કરે છે. બાપ સૌને પ્રેમ કરો એ જ સાચી સાર્થકતા છે.

કથામૃત

(૧)      ઇતિહાસને આમ-તેમ કરી શકો, અધ્યાત્મને તમે આમ-તેમ ન કરી શકો !

(ર)       પ્રેમ કરવો એ પાપ હોય તો ખુબ પાપ કરો, પણ સાચો પ્રેમ હોવો જોઇએ

(3)       ઇશ્વરકૃપાથી વિશેષ્ સંતકૃપા છે.

(૪)      શરણાગતી એ છે કે જેને કોઇ પ્રશ્ન જ નથી !

(પ)      શાંતિ, લક્ષ્મી અને શકિતની ઇચ્છા કોને નથી !

 

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 6 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?