વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને મંગળવારે ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. તેમણે ફક્ત 29 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણ કરી છે. ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી છે. આ નિર્ણયને ખૂબ કઠિન ગણાવતા તેમણે કહ્યું છે કે આ ટીમના કેપ્ટન પદ પર રહેવું તેમના માટે ખૂબ સૌભાગ્યની વાત હતી. પૂરન ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમતા નજરે ચડ્યા હતા.
છગ્ગાઓ મારીને રેકોર્ડ બનાવનાર નોકોલસ પૂરને 61 ટી20 ઈન્ટરનેશનલ અને 106 વનડે મેચ રમ્યા બાદ ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહ્યું હતું. તેમણે બંને ફોર્મેટમાં 4000થી વધુ રન બનાવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે ક્રિક્રેટ વેસ્ટઈન્ડીઝથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વ્હાઈટ બોલ સિરીઝ માટે તેમને આરામ આપવાની ભલામણ કરી હતી.
પૂરનનો સમન્યાસ ક્રિકેટ જગત માટે એક ઝટકો છે કારણકે ભારત અને શ્રીલંકામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે ફક્ત 8 મહિના જ બચ્યા છે. તેમણે ઈનસ્ટાગ્રામ પર લખ્યું છે કે ઘણા વિચાર અને આત્મમંથન બાદ મેં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે.