- ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગર ઓફશોર વિસ્તારમાંથી માછીમારોની ધરપકડ
- અગાઉ 6 ડિસેમ્બરે મન્નાર-કોવિલાનમાં 21 ભારતીય માછીમારોની કરી ધરપકડ
- બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી ઉકેલની જરૂર: કેન્દ્રીય મંત્રી દેવાનંદ
શ્રીલંકાના નૌકાદળે 14 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને ટાપુ રાષ્ટ્રના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા માટે તેમના ટ્રોલર્સ જપ્ત કર્યા છે. આ ઘટના બાદ આ વર્ષે ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોની કુલ સંખ્યા લગભગ 240 પર પહોંચી ગઈ છે.
નૌકાદળે જણાવ્યું હતું કે રવિવારે ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગર ઓફશોર વિસ્તારમાંથી માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 6 ડિસેમ્બરે મન્નાર અને કોવિલાનના ઉત્તર-પૂર્વીય જળસીમામાં ઓછામાં ઓછા 21 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ચાર ટ્રોલર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
શ્રીલંકાના જળસીમામાં ભારતીય માછીમારો દ્વારા ગેરકાયદેસર માછીમાર આ સમસ્યાનો ઉલ્લેખ કરતાં, મત્સ્યોદ્યોગ મંત્રી ડગ્લાસ દેવાનંદે ગયા અઠવાડિયે સંસદમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી ઉકેલની જરૂર છે. માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે, શ્રીલંકાના નૌકાદળ દ્વારા પણ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાલ્ક સ્ટ્રેટ એ ભારતના તમિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી છે અને બંને દેશોના માછીમારો માટે માછીમારીનો પ્રિય વિસ્તાર છે.


