શ્રીલંકામાં રવિવારે સવારથી ચાલી રહેલી વોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે કે કોઈપણ ઉમેદવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા માટે જરૂરી 50 ટકા કરતાં વોટ નથી મેળવ્યા. હવે પરિણામમાં બીજા પ્રેફરન્સ વોટોની ગણતરી નક્કી કશે. ચૂંટણી પંચના અધ્યક્ષે કહ્યું કે, અનુરા કુમારા દિસાનાયકે અને સાજિથ પ્રેમદાસાએ વર્ષ-2024માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વધુ મત મેળવ્યા છે.
પ્રથમ તબક્કાની ગણતરી: તમામ ઉમેદવારો માટે શરૂઆતમાં વોટ ગણવામાં આવે છે. જો કોઈ ઉમેદવારને 50 ટકા કરતાં વધુ વોટ મળે તો તેને વિજેતા જાહેર કરાયે છે.
બીજા પ્રેફરસની ગણતરી:
જો કોઈપણ ઉમેદવાર 50 ટકાથી વધુ વોટ મેળવી નથી શકતો તો સૌથી ઓછા વોટ મેળવતા ઉમેદવારને બહાર કરી દેવામાં આવે છે. આ ઉમેદવાર માટે નાખવામાં આવેલ વોટ ફરી મતદારોના બીજા પસંદગીના આધારે શેષ બે ઉમેદવારોમાં આપવામાં આવે છે. સૌથી ઓછા વોટ મેળવતા ઉમેદવારને બહારનો રસ્તો દેખાડાય છે. અને વોટોને ટ્રાંસફર કરવાની પ્રક્રિયા ત્યાં સુધી યથાવત્ રહે છે જ્યાં સુધી એક ઉમેદવારને બહુમત નથી મળી જતો.


