ક્રિકેટ વર્લ્ડમાં મેચ ફિક્સિંગનો ખતરો મંડરાતો રહે છે, જેમાં હવે શ્રીલંકા ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકે હવે દોષી સાબિત થયો છે. શ્રીલંકામાં રમનારી શ્રીલંકા પ્રીમિયર લીગમાં વર્ષ 2020માં રમાયેલી સિઝનમાં સચિત્રા સેનાનાયકે પર સાથી ખેલાડીને ફિક્સિંગ માટે લલચાવવાનો આરોપ લાગ્યો છે.
આ મામલે તેની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ બાદમાં તેને વર્ષ 2023માં જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે સંપૂર્ણ તપાસ પૂર્ણ થવા પર સચિત્રા સેનાનાયકે મેચ ફિક્સિંગ કરવામાં દોષી સાબિત થયો છે.
હંબનટોટા હાઈકોર્ટે મેચ ફિક્સિંગ કેસમાં દોષી સાબિત થયો
શ્રીલંકા ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકે પર જ્યારે મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારથી જ આ કેસમાં તપાસ ચાલી રહી હતી. હવે હંબનટોટા હાઈકોર્ટે મેચ ફિક્સિંગનો દોષી સાબિત કર્યો છે, જેમાં લંકા પ્રીમિયર લીગમાં તેના સાથી ખેલાડીને લલચવવાના પ્રયાસનો આરોપ સાચો સાબિત થયો છે.
અર્ટોની જનરલના વિભાગે જણાવ્યું કે શ્રીલંકામાં હાલમાં લાગુ કરવામાં આવેલા ભષ્ટ્રાચાર વિરોધી કાનૂન હેઠળ મેચ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય લેવલના ક્રિકેટર સામે આ પ્રકારનો પહેલો આરોપ છે. આ મામલે સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ તેને કોલંબો કિંગ્સ તરફથી રમતા થારિંડુ રત્નાયકેને ફિક્સિંગની ઓફર કરી હતી.
શ્રીલંકાની T20 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો સચિત્રા સેનાનાયકે
વર્ષ 2014માં જ્યારે શ્રીલંકાની ટીમે ICC T20 વર્લ્ડકપ ટ્રોફી પોતાને નામ કરી હતી, ત્યારે તે ટીમનો ભાગ સચિત્ર સેનાનાયકે પણ હતો. 40 વર્ષીય સેનાનાયકે 2012 થી 2016 સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી જેમાં તેમને શ્રીલંકન ટીમ માટે 49 વનડે અને 24 T20 મેચ રમવાની તક મળી. તેને વનડેમાં 53 વિકેટ લીધી.
જ્યારે સચિત્રા સેનાનાયકે T20માં કુલ 25 વિકેટ લીધી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સચિત્રા સેનાનાયકને રમવાની તક મળી જ્યારે વર્ષ 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સના ભાગ બન્યો હતો. સચિત્રાને IPL માં કુલ 8 મેચ રમવાની તક મળી જેમાં તેને 23.22ની એવરેજથી 9 વિકેટ લીધી.