By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભક્તિ-શ્રદ્ધાનો સંદેશ આપનાર શ્રી રંગ અવધૂત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભક્તિ-શ્રદ્ધાનો સંદેશ આપનાર શ્રી રંગ અવધૂત

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:45 AM
2 years ago
Share
ભક્તિ-શ્રદ્ધાનો સંદેશ આપનાર શ્રી રંગ અવધૂત
SHARE

નર્મદાકિનારે નારેશ્વર પવિત્ર યાત્રાધામ છે. આ નારેશ્વર યાત્રાધામ રંગ અવધૂતજીની પવિત્ર જગ્યા તરીકે અતિ પ્રચલિત છે. પવિત્ર સંત શ્રી રંગ અવધૂતજી કારતક વદ અમાસના પવિત્ર દિવસે પરમેશ્વરમાં ભળી ગયા યાને કે, કારતક વદ અમાસ વિ.સં.2025માં બ્રહ્મલીન થયા. આજે પણ લોકો તેમની પવિત્ર સુવાસ અને હકારાત્મક ઊર્જાનો અનુભવ આ જગ્યા ઉપર કરી રહ્યા છે. પૂ.રંગ અવધૂતજીની પુણ્યતિથિ અવસરે તેમના પવિત્ર જીવન વિશે જાણીએ.

માતા રુક્મિણીએ તારીખ 21-11-1898 અને વિ.સં.કારતક સુદ નોમ 1955 નવમી તિથિએ પુત્રને જન્મ આપ્યો. પિતા વિઠ્ઠલપંત વળામે અને માતાએ આ પુત્રનું નામ પાંડુરંગ રાખ્યું. જાતકર્મ સંસ્કાર પણ થયા. આ દિવ્ય બાળક નાનપણથી જ બોલતાં અને વિચારતા થઈ ગયેલો. આ સમયમાં ગોધરામાં જીવલેણ રોગ ફાટી નીકળ્યો હતો. બાળક પાંડુરંગના ઘર પાસેથી દિવસમાં ઘણી નનામી નીકળતી હતી. ખૂબ કૌતુકથી તેઓ પિતાજીને પૂછતાં, પિતાજી આ શું છે? ક્યાં લઈ જાય છે? તેના ઉત્તરમાં પિતાજી કહેતા કે બેટા, એ મૃત્યુ પામ્યા છે, તેને સ્મશાને અગ્નિસંસ્કાર માટે લઈ જાય છે. દીકરાનો પ્રશ્ન આગળ વધ્યો. આ ફરીથી જન્મ લે? પિતાએ જવાબ આપ્યો કે હા. ત્યારે બાળક પાંડુરંગે કહ્યું વારંવાર જન્મ અને મરણના ફેરામાં શું કામ આવવું? ફરીથી જન્મ ન લેવો હોય તો શું કરવું? વિચાર કરો કે ખૂબ નાના બાળકના મગજમાં ખૂબ મોટો સવાલ અને ખૂબ મોટો વિચાર. સાક્ષાત્ પ્રભુનો અંશ જ હોઈ શકેને? પિતાએ જવાબ આપ્યો કે પ્રભુ રામનું નામસ્મરણ કરવાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. બસ, બાળક પાંડુરંગને તો પિતાના મુખેથી રામનામની દિક્ષા મળી ગઈ. તે તો સૂતાં-બેસતાં, જાગતાં-ઊઠતાં સતત રામનામ સ્મરણ અને મંત્રજાપ કરતા રહ્યાં. થોડા સમય બાદ માતા રુક્મિણીને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો જે નારાયણ નામે પ્રખ્યાત થયા.

આ જીવલેણ રોગમાં પિતાજી મૃત્યુ પામ્યા. હવે તો માતાજી તથા બંને પુત્રો સંઘર્ષમય જિંદગી જીવવા લાગ્યાં. માતા બંને બાળકોને લઈ વતન દેવળે આવ્યાં. બંને બાળકોના યજ્ઞોપવીત સંસ્કાર થયા. ત્યાંથી પાછા ફરતા સમયે, નરસોબાવાડીએ પાદુકાનાં દર્શન કરવા રોકાયાં. નરસોબાવાડી એટલે, 14મી સદીમાં થઈ ગયેલા દત્ત અવતાર શ્રી નૃસિંહ સરસ્વતીએ જ્યાં બાર વર્ષ સુધી રહીને દિવ્ય લીલાઓ કરી હતી. મહારાષ્ટ્રમાં સાંગલી નજીક આ પવિત્ર જગ્યા છે. આજે પણ કૃષ્ણા નદીના કિનારે આ મોટું પાદુકામંદિર છે. માંણગાંવના સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી કે જેમની સમાધિ નર્મદા કિનારે ગરુડેશ્વરમાં છે. તે સંત આ સમયે વાડીમાં મુકામ કરી રહ્યા હતા. અનાયાસે દત્તની રાજધાનીમાં દત્તાવતાર ગણાતા વાસુદેવાનંદજીનાં પણ દર્શન થઈ ગયાં. પાંડુરંગે તેમને ગુરુ માન્યા હતા.

શ્રી પાંડુરંગે ગોધરાની શાળામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. તેઓ હંમેશાં અવ્વલ નંબર મેળવતા. પાંડુરંગને ઈશ્વર પ્રત્યે પૂરી શ્રદ્ધા હતી. તેમના અભ્યાસ દરમિયાન માંદગીમાં પણ તેઓ સેકન્ડ ક્લાસ પાસ થયા અને કૉલેજના બીજા વર્ષમાં આપોઆપ ફી ભરવાની પણ વ્યવસ્થા થઈ ગઈ તે ભગવાન ઉપરના અતૂટ ભરોસાને જ આભારી છે.

આઝાદીની લડત સમયે લોકમાન્ય તિલકનું અવસાન થયું. જ્યુબિલી બાગમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ તેમાં પાંડુરંગે ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સમયમાં ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટેનું સુકાન સંભાળ્યું હતું. પાંડુરંગે કૉલેજમાં એલાન કર્યું કે દેશની આઝાદી ખાતર હું ભવિષ્યની ઝળહળતી સિદ્ધિ છોડી દઈશ. કોંગ્રેસના એક અધિવેશનમાં ગાંધીજીએ તેમને વિશિષ્ટ આત્મવિશ્વાસ સાથે જોયા અને તેમને અપનાવી લીધા. આ સમયે કાકાસાહેબ કાલેલકરજીનો પરિચય થયો. તેઓ પણ પાંડુરંગથી પ્રભાવિત થયા. કાકાસાહેબની ભલામણથી અને તેમની મહેનતથી પાંડુરંગને `ભાષાવિશારદ’ની પદવી મળી. ત્યારબાદ રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે સેવા ચાલુ કરી. આ સમયમાં પાંડુરંગે ઉપનિષદના સાર જેવી મુખ્ય `ઉપનિષદની વાતો’ એ નામથી 14 વાર્તાઓ સરળ ભાષામાં લખીને પ્રકાશિત કરી. જેનું હિંદી રૂપાંતર `ઉપનિષદ કે ચૌદહ રત્ને’ આ નામથી પ્રસિદ્ધ થયું. આ રીતે સંસ્કૃતના સારા જાણકાર તરીકે ખ્યાતિ પામ્યા. ટોલ્સટોય અને શિક્ષણ જેવાં પુસ્તકોનો અનુવાદ આપ્યો. પોતાની રીતે વિષ્ણુપુરાણની વાતો તૈયાર કરી અને નારેશ્વરથી પ્રગટ થઈ છે. એ જ રીતે `પ્રશ્નોત્તરી ગીતા’ પણ તેમણે તૈયાર કર્યું. કાકાસાહેબના પુસ્તક `સદબોધ ક્ષતક’ ઉપર વિદ્યાર્થીને ઉપયોગી સંસ્કૃત ભાષામાં ટીકા લખવાનું કામ પાંડુરંગે કર્યું. તેનું નામ `બાલબોધિની’ રાખ્યું.

આ સમયમાં પાંડુરંગનો ભીતરી પ્રવાહ જોરશોરથી ચાલુ થઈ ગયો હતો. તેઓ વ્યસ્તતામાં પણ આધ્યાત્મિક કાર્ય પૂર્ણ કરી લેતા હતા. જ્યાં પણ સમય માટે એકાંત મળે પ્રભુનું નામસ્મરણ જપ અવશ્ય કરી લેતા હતા. તે હંમેશાં કાયમી, એકાંત જગ્યાની શોધમાં જ રહેતા હતા. વખતોવખત સંતોના આશીર્વાદ પણ મેળવતા. તે સમયે સાંઈખેડાના સંત કેશવાનંદજીની પ્રેરણા થઈ અને તેને નર્મદાકિનારે જવા અનુરોધ કર્યો. સમયની શોધ સાથે ઈ.સ.1925ની સાલમાં કડકડતી માગશર માસની ઠંડીમાં વદ-4ના દિવસે નર્મદાકિનારે નારેશ્વરમાં વાસ કર્યો. તે સાત ગામની સ્મશાનભૂમિ હતી. આ ભયાનક સ્થળને તેમણે પસંદ કર્યું. ત્યાં રહેવા લાગ્યા એટલે અવધૂત તરીકે ઓળખાયા. એક રાત્રિએ તેમને સ્વપ્ન આવ્યું કે દત્તપુરાણની 108 પારાયણ કર. તેમની લગન અને મહેનતથી દત્તપુરાણ મહામુસીબતે મેળવ્યું અને તેમણે 108 પારાયણ કરી. ત્યારબાદ તેમની ઉત્થાપન માટે વિધિ થઈ. તેમણે નક્કી કર્યું કે નર્મદાની પરિક્રમા માત્ર ગોળનું પાણી પીને કરીશ. એ રીતે પરિક્રમા કરી નારેશ્વર મુકામે રહીને વૈદિક પરંપરાની સ્થાપના કરી અનેક યજ્ઞાદિ કર્મો કર્યાં. તેઓએ અનુકૂળ સમયે પત્રગીતા, આત્મચિંતન, નારેશ્વર માહાત્મ્યનું નિર્માણ કર્યું. સવિશેષમાં દત્તબાવનીનું નિર્માણ કર્યું. જેનો નિત્યપાઠ કરવાથી, ગુરુવારે પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. વિદ્યા પ્રાપ્ત થાય છે. નારેશ્વરમાં અનેક ઉત્સવો શરૂ કર્યા. અનેકને કુટેવો છોડાવી, વ્યસનમુક્ત કર્યાં. આ રીતે પ્રભુની પ્રસાદી રૂપ ઉત્તમ જીવી ગયા. હરિદ્વાર ગયા ત્યાં તેમણે જીવનલીલા સંકેલી લીધી. ત્રણ વાર ૐ ઉચ્ચારણ કરી કારતક વદ અમાસ વિ.સં.2025માં બ્રહ્મલીન થઈ ગયા. અનેક ભક્તોએ રડતા હૃદયે અંજલિ આપી. આજે જ્યાં રંગમંદિર છે ત્યાં અગ્નિસંસ્કાર થયા. 19-11-68ના રોજ બ્રહ્મલીન થયા. તા.21-11-68ના રોજ મધ્યરાત્રે અગ્નિસંસ્કાર થયા. અવધૂતજીએ લખેલું હંસગીત ભજન તેમના જીવન અને કવનને અક્ષરશ: લાગુ પડે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
રાષ્ટ્રિય

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

By 5 days ago
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?