By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે

agragujaratnews
Last updated: 2024/06/20 at 1:52 AM
2 years ago
Share
ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે
SHARE

હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે ગુરુવારની વ્રતકથા

પ્રાચીન સમયની વાત છે. એક બહુ પ્રતાપી તથા દાનવીર રાજા હતા. તેઓ દરેક ગુરુવારે વ્રત રાખતા અને દાન-પુણ્ય કરતા, પરંતુ આ બધું તેમની રાણીને ગમતું નહોતું. તેઓ વ્રત તો ન જ કરતાં, સાથેસાથે કોઈને એક પૈસાનું દાન પણ ન કરતાં. એ તો ઠીક, તે રાજાને પણ આવું બધું કરવાની ના પાડતાં. એક વાર રાજા શિકાર કરવા માટે વનમાં ગયા.

મહેલમાં રાણી અને દાસી જ હતાં. તે સમયે ગુરુ (બૃહસ્પતિ) સાધુનું રૂપ લઈને રાજાના મહેલમાં ભિક્ષા માગવા આવ્યા. સાધુએ રાણી પાસે ભિક્ષા માગી તો તે કહેવા લાગી, `હે સાધુ મહારાજ, હું આ દાન-પુણ્યથી કંટાળી ગઈ છું, તમે કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી અમારું બધું જ ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું.’

સાધુ વેશધારી ગુરુ દેવે કહ્યું, `હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે.’

સાધુની વાતોથી રાણીને જરાય ખુશી ન થઈ. તેમણે કહ્યું, `મારે એવા ધનની જરૂર નથી, જેને હું દાનમાં દઉં તથા જેને સંભાળવામાં જ મારો બધો સમય નષ્ટ થઈ જાય.’

સાધુએ કહ્યું, `જો તમારી આવી જ ઇચ્છા હોય તો હું તમને જેમ કહું છું તેમ જ કરજો. ગુરુવારના દિવસે તમે ઘરને ગાયના છાણથી લીંપજો, પોતાના કેશને પીળી માટીથી ધોજો, કેશ ધોતી વખતે સ્નાન કરજો. રાજાને હજામત બનાવવાનું કહેજો, ભોજનમાં માંસ ને મદિરાનો ઉપયોગ કરજો. કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો. આ પ્રમાણે સાત ગુરુવાર સુધી કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે.’ આટલું કહીને સાધુ બનેલા ગુરુ દેવ અંતર્ધાન થઈ ગયા.

સાધુના કહ્યા અનુસાર રાણીએ ત્રણ જ ગુરુવાર કર્યા ને તેની બધી જ ધન-સંપત્તિ નષ્ટ થઈ ગઈ. એક ટંકના ભોજન માટે પણ તેઓ વલખાં મારવાં લાગ્યાં. એક દિવસ રાજાએ રાણીને કહ્યું, `હે રાણી, તમે અહીં જ રહો, હું બીજા દેશમાં જાઉં છું, કારણ કે અહીં બધા જ લોકો મને ઓળખે છે, તેથી હું કોઈ નાનું કામ ન કરી શકું.’ આવું કહીને રાજા પરદેશ ચાલ્યા ગયા. ત્યાં તે જંગલમાંથી લાકડાં કાપીને લાવતા અને શહેરમાં વેચતા. આ રીતે તે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા.

જ્યારે રાજા વગર રાણી અને દાસી દુ:ખી રહેવા લાગ્યાં. એક દિવસ એવો આવ્યો જ્યારે રાણી અને દાસીને ભોજન વગર સાત દિવસ રહેવું પડ્યું. રાણીએ પોતાની દાસીને કહ્યું, `બાજુના નગરમાં જ મારી બહેન રહે છે. તે ખૂબ જ ધનવાન છે. તું એમની પાસે જઈને થોડું ધન લઈ આવે છે, જેથી થોડા દિવસ આપણો ગુજારો થઈ શકે.’

દાસી રાણીની બહેન પાસે ગઈ. તે દિવસે ગુરુવાર હતો. રાણીની બહેન તે સમયે ગુરુવારની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને સંદેશો આપ્યો, પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો. જ્યારે દાસીને રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો ત્યારે તે બહુ દુ:ખી થઈ અને તેને ક્રોધ પણ આવ્યો. દાસીએ પાછાં આવીને રાણીને બધી જ વાત જણાવી, જે સાંભળીને રાણી પોતાનાં ભાગ્યને કોસવા લાગી.

બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી, પરંતુ મેં તેને કંઈ ન કહ્યું. કથા સાંભળીને, પૂજન પૂર્ણ કરીને તે પોતાની બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી, `બહેન, માફ કરજે, તારી દાસી આવી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલુ હતી ત્યાં સુધી ન ઊઠી શકાય કે ન બોલી શકાય, તેથી મેં કોઈ ઉત્તર ન આપ્યો. હવે કહો દાસી કેમ આવી હતી?’

રાણીએ કહ્યું, `બહેન, અમારા ઘરમાં અનાજનો એક દાણો નથી.’ આવું કહેતાં કહેતાં રાણીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે પોતાની દાસી સહિત ભૂખ્યા રહેવાની વાત પોતાની બહેનને જણાવી. ત્યારે રાણીની બહેને કહ્યું, `ગુરુ (બૃહસ્પતિ) દેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. જુઓ, કદાચ તમારા ઘરમાં અનાજ હોય.’

આ સાંભળીને દાસી ઘરની અંદર ગઈ તો ત્યાં ખાલી પડેલી કોઠી અનાજથી છલોછલ ભરેલી પડી હતી, જે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે આ વાત બહાર આવીને રાણીને કહી, દાસી રાણીને કહેવા લાગી, `હે રાણી, જ્યારે આપણને ભોજન ન મળે ત્યારે આપણે વ્રત જ કરીએ છીએને! તેથી તમારી બહેન પાસેથી આ વ્રત અને કથાની સંપૂર્ણ વિધિ જાણી લો. પછી આપણે પણ આ વ્રત કરીશું.’

દાસીના કહેવાથી રાણીએ પોતાની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું. બહેને વ્રતની બધી જ વિધિ સમજાવી. રાણી અને દાસીઓએ નક્કી કર્યું કે ગુરુ દેવનું પૂજન જરૂર કરીશું. સાત દિવસ પછી ગુરુવાર આવ્યો ત્યારે બધાંએ વ્રત રાખ્યું. તબેલામાં જઈને ચણા અને ગોળ વીણી લાવ્યાં તે દાળથી કેળ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હવે પીળું ભોજન ક્યાંથી કરવું! તેથી બંને દુ:ખી થયાં, પરંતુ તેમણે વ્રત કર્યું હતું તેથી ગુરુ દેવ પ્રસન્ન હતા. એક સાધારણ વ્યક્તિના રૂપમાં તેઓ બે થાળમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને જોઈને કહ્યું, `આ ભોજન તારા અને તારી રાણી માટે છે, તેથી તમે બંને આરોગો.’

દાસી ભોજન મેળવીને બહુ પ્રસન્ન હતી. તેણે રાણીને બધી જ વાત જણાવી. ત્યારબાદ તેઓ દરેક ગુરુવારે ગુરુ દેવનું વ્રત અને પૂજન કરવા લાગ્યાં. ગુરુ દેવની કૃપાથી તેમની પાસે ધન આવ્યું, પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી, ત્યારે દાસીએ કહ્યું, `રાણી, તમે પહેલાં પણ આ પ્રમાણે આળસ કરતાં હતાં. તમને ધન રાખવામાં કષ્ટ થતું હતું, તેને કારણે જ બધું ધન નષ્ટ થઈ ગયું. જ્યારે ગુુરુ દેવની કૃપાથી ધન મળી જ રહ્યું છે તો પછી આળસ કેવી! ઘણી મુસીબતો પછી આપણે આ ધન મેળવ્યું છે, તેથી આપણે દાન-પુણ્ય કરવું જોઈએ. ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવો, પરબ શરૂ કરાવો, બ્રાહ્મણોને દાન આપો. કૂવા-તલાવડીનું નિર્માણ કરાવો. મંદિર, શાળા બનાવીને જ્ઞાન આપો, કુંવારી કન્યાઓનું કન્યાદાન કરો અર્થાત્ ધનને શુભ કાર્યોમાં ખર્ચો. જેનાથી કુળનો યશ તો વધશે, પિતૃઓ પ્રસન્ન થશે તથા સ્વર્ગ પણ મળશે.’

દાસીની વાત માનીને રાણી શુભ કાર્યો કરવા લાગી. તેનો યશ ચારે દિશાઓમાં ફેલાવા લાગ્યો. આ લોકમાં સુખ ભોગવીને તેઓ અંતમાં ગોલોકમાં સુખ ભોગવવા લાગ્યાં.

વ્રતવિધિ

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા કેળની પૂજા કરવાનું વિધાન છે. આ વ્રત દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

દિવસમાં એક જ વાર ભોજન લો એટલે કે એકટાણું કરવું.

પીળાં વસ્ત્ર ધારણ કરો.

ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવવી અને સૌપ્રથમ આરોગવી.

ભોજનમાં મીઠું ન હોવું જોઈએ.

પીળા રંગનાં ફૂલ, ચણાની દાળ, પીળાં કપડાં, ચંદન, કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ (બૃહસ્પતિ)ની પૂજા કરવી. પૂજા પછી ગુરુવારની વ્રતકથા સાંભળવી જોઈએ.

ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ (બૃહસ્પતિ) ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે.

આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે, પરંતુ સ્ત્રીઓ માટે તે વિશેષ લાભદાયક છે.

આ વ્રતમાં કેળનું પૂજન પણ કરવું.

પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી ગુરુ (બૃહસ્પતિ)ની આરતી કરવી જોઈએ.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 1 day ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?