By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે

agragujaratnews
Last updated: 2024/06/20 at 1:52 AM
1 year ago
Share
ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ તથા કેળની પૂજા કરવાનું વિધાન છે
SHARE

હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે ગુરુવારની વ્રતકથા

પ્રાચીન સમયની વાત છે. એક બહુ પ્રતાપી તથા દાનવીર રાજા હતા. તેઓ દરેક ગુરુવારે વ્રત રાખતા અને દાન-પુણ્ય કરતા, પરંતુ આ બધું તેમની રાણીને ગમતું નહોતું. તેઓ વ્રત તો ન જ કરતાં, સાથેસાથે કોઈને એક પૈસાનું દાન પણ ન કરતાં. એ તો ઠીક, તે રાજાને પણ આવું બધું કરવાની ના પાડતાં. એક વાર રાજા શિકાર કરવા માટે વનમાં ગયા.

મહેલમાં રાણી અને દાસી જ હતાં. તે સમયે ગુરુ (બૃહસ્પતિ) સાધુનું રૂપ લઈને રાજાના મહેલમાં ભિક્ષા માગવા આવ્યા. સાધુએ રાણી પાસે ભિક્ષા માગી તો તે કહેવા લાગી, `હે સાધુ મહારાજ, હું આ દાન-પુણ્યથી કંટાળી ગઈ છું, તમે કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી અમારું બધું જ ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું.’

સાધુ વેશધારી ગુરુ દેવે કહ્યું, `હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે.’

સાધુની વાતોથી રાણીને જરાય ખુશી ન થઈ. તેમણે કહ્યું, `મારે એવા ધનની જરૂર નથી, જેને હું દાનમાં દઉં તથા જેને સંભાળવામાં જ મારો બધો સમય નષ્ટ થઈ જાય.’

સાધુએ કહ્યું, `જો તમારી આવી જ ઇચ્છા હોય તો હું તમને જેમ કહું છું તેમ જ કરજો. ગુરુવારના દિવસે તમે ઘરને ગાયના છાણથી લીંપજો, પોતાના કેશને પીળી માટીથી ધોજો, કેશ ધોતી વખતે સ્નાન કરજો. રાજાને હજામત બનાવવાનું કહેજો, ભોજનમાં માંસ ને મદિરાનો ઉપયોગ કરજો. કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો. આ પ્રમાણે સાત ગુરુવાર સુધી કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે.’ આટલું કહીને સાધુ બનેલા ગુરુ દેવ અંતર્ધાન થઈ ગયા.

સાધુના કહ્યા અનુસાર રાણીએ ત્રણ જ ગુરુવાર કર્યા ને તેની બધી જ ધન-સંપત્તિ નષ્ટ થઈ ગઈ. એક ટંકના ભોજન માટે પણ તેઓ વલખાં મારવાં લાગ્યાં. એક દિવસ રાજાએ રાણીને કહ્યું, `હે રાણી, તમે અહીં જ રહો, હું બીજા દેશમાં જાઉં છું, કારણ કે અહીં બધા જ લોકો મને ઓળખે છે, તેથી હું કોઈ નાનું કામ ન કરી શકું.’ આવું કહીને રાજા પરદેશ ચાલ્યા ગયા. ત્યાં તે જંગલમાંથી લાકડાં કાપીને લાવતા અને શહેરમાં વેચતા. આ રીતે તે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા.

જ્યારે રાજા વગર રાણી અને દાસી દુ:ખી રહેવા લાગ્યાં. એક દિવસ એવો આવ્યો જ્યારે રાણી અને દાસીને ભોજન વગર સાત દિવસ રહેવું પડ્યું. રાણીએ પોતાની દાસીને કહ્યું, `બાજુના નગરમાં જ મારી બહેન રહે છે. તે ખૂબ જ ધનવાન છે. તું એમની પાસે જઈને થોડું ધન લઈ આવે છે, જેથી થોડા દિવસ આપણો ગુજારો થઈ શકે.’

દાસી રાણીની બહેન પાસે ગઈ. તે દિવસે ગુરુવાર હતો. રાણીની બહેન તે સમયે ગુરુવારની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને સંદેશો આપ્યો, પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો. જ્યારે દાસીને રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો ત્યારે તે બહુ દુ:ખી થઈ અને તેને ક્રોધ પણ આવ્યો. દાસીએ પાછાં આવીને રાણીને બધી જ વાત જણાવી, જે સાંભળીને રાણી પોતાનાં ભાગ્યને કોસવા લાગી.

બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી, પરંતુ મેં તેને કંઈ ન કહ્યું. કથા સાંભળીને, પૂજન પૂર્ણ કરીને તે પોતાની બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી, `બહેન, માફ કરજે, તારી દાસી આવી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલુ હતી ત્યાં સુધી ન ઊઠી શકાય કે ન બોલી શકાય, તેથી મેં કોઈ ઉત્તર ન આપ્યો. હવે કહો દાસી કેમ આવી હતી?’

રાણીએ કહ્યું, `બહેન, અમારા ઘરમાં અનાજનો એક દાણો નથી.’ આવું કહેતાં કહેતાં રાણીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે પોતાની દાસી સહિત ભૂખ્યા રહેવાની વાત પોતાની બહેનને જણાવી. ત્યારે રાણીની બહેને કહ્યું, `ગુરુ (બૃહસ્પતિ) દેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. જુઓ, કદાચ તમારા ઘરમાં અનાજ હોય.’

આ સાંભળીને દાસી ઘરની અંદર ગઈ તો ત્યાં ખાલી પડેલી કોઠી અનાજથી છલોછલ ભરેલી પડી હતી, જે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે આ વાત બહાર આવીને રાણીને કહી, દાસી રાણીને કહેવા લાગી, `હે રાણી, જ્યારે આપણને ભોજન ન મળે ત્યારે આપણે વ્રત જ કરીએ છીએને! તેથી તમારી બહેન પાસેથી આ વ્રત અને કથાની સંપૂર્ણ વિધિ જાણી લો. પછી આપણે પણ આ વ્રત કરીશું.’

દાસીના કહેવાથી રાણીએ પોતાની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું. બહેને વ્રતની બધી જ વિધિ સમજાવી. રાણી અને દાસીઓએ નક્કી કર્યું કે ગુરુ દેવનું પૂજન જરૂર કરીશું. સાત દિવસ પછી ગુરુવાર આવ્યો ત્યારે બધાંએ વ્રત રાખ્યું. તબેલામાં જઈને ચણા અને ગોળ વીણી લાવ્યાં તે દાળથી કેળ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હવે પીળું ભોજન ક્યાંથી કરવું! તેથી બંને દુ:ખી થયાં, પરંતુ તેમણે વ્રત કર્યું હતું તેથી ગુરુ દેવ પ્રસન્ન હતા. એક સાધારણ વ્યક્તિના રૂપમાં તેઓ બે થાળમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને જોઈને કહ્યું, `આ ભોજન તારા અને તારી રાણી માટે છે, તેથી તમે બંને આરોગો.’

દાસી ભોજન મેળવીને બહુ પ્રસન્ન હતી. તેણે રાણીને બધી જ વાત જણાવી. ત્યારબાદ તેઓ દરેક ગુરુવારે ગુરુ દેવનું વ્રત અને પૂજન કરવા લાગ્યાં. ગુરુ દેવની કૃપાથી તેમની પાસે ધન આવ્યું, પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી, ત્યારે દાસીએ કહ્યું, `રાણી, તમે પહેલાં પણ આ પ્રમાણે આળસ કરતાં હતાં. તમને ધન રાખવામાં કષ્ટ થતું હતું, તેને કારણે જ બધું ધન નષ્ટ થઈ ગયું. જ્યારે ગુુરુ દેવની કૃપાથી ધન મળી જ રહ્યું છે તો પછી આળસ કેવી! ઘણી મુસીબતો પછી આપણે આ ધન મેળવ્યું છે, તેથી આપણે દાન-પુણ્ય કરવું જોઈએ. ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવો, પરબ શરૂ કરાવો, બ્રાહ્મણોને દાન આપો. કૂવા-તલાવડીનું નિર્માણ કરાવો. મંદિર, શાળા બનાવીને જ્ઞાન આપો, કુંવારી કન્યાઓનું કન્યાદાન કરો અર્થાત્ ધનને શુભ કાર્યોમાં ખર્ચો. જેનાથી કુળનો યશ તો વધશે, પિતૃઓ પ્રસન્ન થશે તથા સ્વર્ગ પણ મળશે.’

દાસીની વાત માનીને રાણી શુભ કાર્યો કરવા લાગી. તેનો યશ ચારે દિશાઓમાં ફેલાવા લાગ્યો. આ લોકમાં સુખ ભોગવીને તેઓ અંતમાં ગોલોકમાં સુખ ભોગવવા લાગ્યાં.

વ્રતવિધિ

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા કેળની પૂજા કરવાનું વિધાન છે. આ વ્રત દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

દિવસમાં એક જ વાર ભોજન લો એટલે કે એકટાણું કરવું.

પીળાં વસ્ત્ર ધારણ કરો.

ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવવી અને સૌપ્રથમ આરોગવી.

ભોજનમાં મીઠું ન હોવું જોઈએ.

પીળા રંગનાં ફૂલ, ચણાની દાળ, પીળાં કપડાં, ચંદન, કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ (બૃહસ્પતિ)ની પૂજા કરવી. પૂજા પછી ગુરુવારની વ્રતકથા સાંભળવી જોઈએ.

ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ (બૃહસ્પતિ) ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે.

આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે, પરંતુ સ્ત્રીઓ માટે તે વિશેષ લાભદાયક છે.

આ વ્રતમાં કેળનું પૂજન પણ કરવું.

પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી ગુરુ (બૃહસ્પતિ)ની આરતી કરવી જોઈએ.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
રાષ્ટ્રિય

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

By 3 days ago
Anxiety અને Stressનો સૌથી અસરદાર ઘરેલું ઉપચાર, માત્ર આ એક પાન મનને શાંત કરશે
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
Health News : શું આઈ બ્રો કરાવવાથી મહિલાઓમાં લીવર સંબંધિત વધશે સમસ્યા, બ્યુટી ટ્રીટમેન્ટ મામલે હેલ્થ એક્સપર્ટની ચેતવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?