By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ

agragujaratnews
Last updated: 2023/12/04 at 5:39 PM
2 years ago
Share
રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ
SHARE

૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ દિવસ : ૨૨મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટના સંઘના અગ્રણી ગિરીશ ભટ્ટ વર્ણવે છે એ દિવસોની યાદો

અગ્ર ગુજરાત, અયોધ્યા
આગામી જાન્યુઆરી માસની ૨૨મી તારીખથી અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. દેશ-દુનિયા માટે તવારીખી ઘટના બની રહી છે. આ સમયે રામમંદિર માટેના પ૦૦ વર્ષના સંઘર્ષની યાદો કયાંકને કયાંક ચમકતી રહે છે. પરંતુ ૧૯૯૦થી રામજન્મભૂમિ મુકિત માટે શરૂ થયેલી લડત અને કારસેવાનો સંઘર્ષ ભર્યો ઇતિહાસ જાણવા લાયક છે. ૧૯૯૦ની સાલમાં રાજકોટથી સંઘના અગ્રણીઓ ગિરીશ ભટ્ટ, કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો કાર સેવા માટે અયોધ્યા ગયા હતાં. એ સમયે યુપીમાં પહેલા મુલાયમ યાદવની સરકાર હતી અને કારસેવકોનો સાચો સંઘર્ષ એ સમયે હતો. કારસેવકો પર ગોળીબાર, ધરપકડ, લાઠી ચાર્જ સહિતના દમન થયા હતાં. આ સમગ્ર રસપ્રદ વિગતને સંઘ અગ્રણી ગીરીશભાઇ ભટ્ટ અગ્ર ગુજરાત સમક્ષ વર્ણવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ લલ્લાના જન્મ સ્થળને મુક્ત કરાવવા માટે 1990માં મુલાયમ સિંહ મુખ્યમંત્રી હતા. ત્યારે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા કાર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મૂળ ગુજરાતના અને કોલકાતા સ્થાહી થયેલા બે કોઠારી બંધુઓ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. તેમજ આ કાર સેવામાં રાજકોટના 7 યુવાનો અયોધ્યા પહોંચી શક્યા હતા. જ્યારે બાકીના કાર્યકરોની લખનૌ પાસે અટકાયત કરવામાં આવી હતી. મંદિરમાં “કનક ભવન” સૌથી વધારે સુંદર છે. આમ આ કાર સેવા ખૂબ જ સંઘર્ષ રહી હતી. પરંતુ કાર સેવકો બાબરી ઢાંચો તોડી શકયા ન હતા.
1990ની કાર સેવામાં રાજકોટના યુવાનો કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, ગિરીશ ભટ્ટ, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો ગયા હતા. જેમાંથી માત્ર 7 જ કાર સેવકો બાબરી ઢાંચો સુધી પહોંચ્યા હતા. આ બાબરી ઢાંચોની સંધર્ષ કથા વર્ણવતા વ્યવસાયે એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં દેવઉઠી અગિયાસના દિવસે પ્રથમ વખત કાર સેવા થઈ ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી એક હજારથી વધુ કાર સેવકો ગયા હતા. જેમાં RSS અને VHPની યોજના પ્રમાણે સમગ્ર દેશમાંથી એક મહિના પહેલા અંદાજે 50 હજારથી વધુ કાર સેવકો છૂપીરીતે અયોધ્યા પહોંચી ગયા હતા. અને આ તમામ કાર સેવકોને અયોધ્યામાં આવેલા તમામ અખાડામાં ઉતારા આપવામાં આવ્યા હતા. તેમજ એક લાખ લોકો સત્યાગ્રહ કરવા માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટના કાર સેવક ગિરીશભાઈ ભટ્ટ અને તેમની સાથે રહેલા કાર સેવકોનું બિના જંકશન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. અને ફૂલબાઈ જ્ઞાતિની વાડીમાં કામ ચલાઉ ધોરણે ઊભી કરવામાં આવેલ જેલમાં પૂરી દેવામાં આવેલ. પરંતુ અહિયાં જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોય આ જેલમાં રહેલા તમામ કાર સેવકોને આયોધ્યાના મામલતદારની કારનો કબજો મેળવી અને નજીકના વિસ્તારમાંથી ખાદ્ય સામગ્રી લાવી અને જાતે રસોઈ બનાવતા હતા. દરમિયાન આ અંગેની જાણ આસપાસના રહીશોને તથા તે લોકોએ પોતાના ઘરેથી ભોજન બનાવી કાર સેવકોને પૂરું પાડતા હતા.
વધુમાં ગિરીશ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં બાબરી ઢાંચો તોડવા માટે એકસાથે 50 હજારથી વધુ કાર સેવકો વિવિધ અખાડામાંથી બહાર નીકળ્યા હતા. અને બાબરી ઢાંચો તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશની મુલાયમસિંહની સરકારે કાર સેવકો ઉપર ગોળીબાર કરાવતા અસંખ્ય કાર સેવકોના મૃત્યુ નિપજ્યાં હતા. આમ આ દિવસ કલંકિત દિવસ બન્યો હતો .

Contents
૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ દિવસ : ૨૨મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવરાજકોટના સંઘના અગ્રણી ગિરીશ ભટ્ટ વર્ણવે છે એ દિવસોની યાદોકાર સેવામાં લાલકૃષ્ણ અડવાણી – ઉમા ભારતીની ભૂમિકા

કાર સેવામાં લાલકૃષ્ણ અડવાણી – ઉમા ભારતીની ભૂમિકા

લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો સૌથી મોટો ચહેરો હતો. આ મુદ્દાના પાયે 1989 લોકસભા ચૂંટણીમાં 9 વર્ષ જૂનો ભાજપ પક્ષ 2 સીટના વધારા સાથે 85 પર પહોંચી ગયો હતો. આ બાદ પણ મુદ્દો ગરમાતો ગયો. અગાઉ સપ્ટેમ્બર 1990માં અડવાણી સોમનાથથી રથ લઈને મંદિર માટે જનજાગરણ કરવા નીકળી પડ્યા હતા. બાબરી ઢાંચો વિધ્વંસ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અયોધ્યામાં જ હાજર હતાં. ઉમાએ ખુદ કહ્યું કે હું પાંચ દિવસ પહેલાથી જ અયોધ્યામાં હાજર હતી. 1 ડિસેમ્બરે હું ત્યાં પહોંચી ગઈ હતી અને 7 ડિસેમ્બર સવાર સુધી હું ત્યાં જ રહી હતી. જે કંઈ થયું હતું તે ખુલ્લેઆમ થયું હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં ભારે સુરક્ષાની વચ્ચે ભાજપના નેતાઓની આગેવાનીમાં ભીડ બાબરી ઢાંચો તરફ આગળ વધી રહી હતી, જો કે પહેલા પ્રયત્નમાં પોલીસ તેમને રોકવામાં સફળ રહી હતી. બાદમાં અચાનક બપોરે 12 વાગ્યે કારસેવકોનું એક જૂથ ઢાંચોની દિવાલો પર ચઢવા લાગ્યું. લાખોડની ભીડમાં કારસેવક ઢાંચો પર ટૂટી પડ્યા અને થોડીવારમાં જ ઢાંચોને કબ્જામાં લઈ લીધી.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 2 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?