ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
ધો.3 થી ૮ના પરિણામો તૈયાર કરી ઓનલાઇન મૂકાશે, એપ્રિલના અંત સુધીમાં રિઝલ્ટ આપવાનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આ વર્ષે ધોરણ 1 થી 8 માં પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બાલવાટિકા તેમજ ધોરણ એક બે માં પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ શાળા કક્ષાએ અપાશે. જ્યારે ધોરણ ત્રણથી આઠમાં પરિણામ પત્રક અપાશે. પણ તે શાળા કક્ષાને બદલે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર કરીને અપાશે અને જે તે શાળા તેને ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને પરિણામ પત્રક તરીકે વિતરિત કરશે.
આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 3થી 8માં શાળા મુજબ પરિણામ પત્ર તૈયાર કરીને આપવાને બદલે અત્યારે જ્યારે વાર્ષિક પરીક્ષા શરૂ છે ત્યારે જ જેમ જેમ જે તે વિષયના પેપર પૂર્ણ થતા જાય તે મુજબ તે વિષયના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક અપલોડ કરી દેવામાં આવે છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના પરિણામ પત્ર રાજ્ય કક્ષાએ જાહેર કરવામાં આવશે. બાદમાં જે તે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓના પરિણામ પત્ર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે તેવું આયોજન છે. પરિણામ એપ્રિલ માસના અંત સુધીમાં આપી દેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.
ચાલુ શૈક્ષણિક વર્ષથી બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2માં પોલિસ્ટિક કોંગ્રેસ કાર્ડ ફાઉન્ડેશનલ સ્ટેજનો અમલ કરવાનો નિર્ણય પ્રાથમિક નિયામક શિક્ષણની કચેરી અને જીસીઈઆરટી દ્વારા કરવામાં આવ્યો છે. નથી સમગ્ર શિક્ષા મારફત તમામ શાળાના બાળક દીઠ પોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પહોંચાડવામાં આવેલ છે અને આ બાબતે ઓન એર તાલીમ પણ આપવામાં આવી છે હવે બાળકોને 2025-26 માટે વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્રને બદલે ધોરણ 1 અને ધોરણ 2 તેમજ બાલવાટિકામાં હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ આપવામાં આવશે.
શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ?
રાષ્ટ્રીય કક્ષાએ 360 ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરાયા બાદ હવે સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.
આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે.
આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.


