RTEમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અશ્પૃશ્યતા જેવા વ્યવહારની CM ને ફરીયાદ
CMના પોર્ટલ પર ર૦૦થી વધુ ફરીયાદો આવતા રાજયભરતમાં ખળભળાટ
અલગ વર્ગખંડ, અલગ બેસાડવા સહિતની ગાંધીનગર સુધી રાવ થઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું ગુણવતાસભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા RTE યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાનગી શાળામાં રપ ટકા છાત્રોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ આ યોજનામાં છાત્રો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદોએ છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે.
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ સામે આવી રહી છે. મુખ્યમંત્રીની સંવાદ પોર્ટલ પર આવી ફરિયાદોની સંખ્યા વધીને 200થી વધુ થઈ છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને શાળામાં અલગ બેસાડવા, અલગ વર્ગોમાં બેસાડવા સહિતની અનેક ફરીયાદો ઉઠી છે.
આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સ vs નબળા વર્ગના બાળકોને મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જોકે, અમલીકરણમાં આવતી સમસ્યાઓને કારણે વાલીઓમાં અસંતોષ વધી રહ્યો છે.
વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડવું અથવા અલગ વર્ગોમાં રાખવું,રમત-ગમત, ભોજન અને અન્ય સુવિધાઓમાં ભેદભાવ અને કેટલીક શાળાઓમાં RTEવિદ્યાર્થીઓને વધારે દબાણ અથવા હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં માત્ર 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં શાળાઓને શો-કોઝ નોટિસ અને ચેતવણી આપવામાં આવી છે. જોકે, શિક્ષણ કાર્યકર્તાઓ અને NGOના અંદાજ મુજબ વાસ્તવિક ઘટનાઓની સંખ્યા વધુ છે, કારણ કે મોટા ભાગના વાલીઓ ફરિયાદ કરવામાં ડરે છે અથવા જાણકારીના અભાવે ચૂપ રહે છે. વાર્ષિક અંદાજે 200થી વધુ અરિપોર્ટેડ કેસો હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત સુરતમાં પણ અનેક ફરીયાદો ઉઠી છે.
(બોક્ષ)
કડક કાર્યવાહી કરાશે: શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગે જણાવ્યું કે તમામ ફરિયાદો પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPO) આ ફરિયાદોની તપાસ અને સુનાવણી હાથ ધરશે. દોષિત શાળાઓ સામે દંડ, નોટિસ અથવા અન્ય કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.


