By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: પડોશીએ ખંડણી માંગતા ઉદ્યોગકાર સુરેશભાઇ ટીંબડીયાનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પડોશીએ ખંડણી માંગતા ઉદ્યોગકાર સુરેશભાઇ ટીંબડીયાનો આપઘાત

agragujaratnews
Last updated: 2024/01/06 at 7:53 PM
2 years ago
Share
પડોશીએ ખંડણી માંગતા ઉદ્યોગકાર સુરેશભાઇ ટીંબડીયાનો આપઘાત
SHARE

રાજકોટનાં નીલકંઠ પાર્કમાં બાજુમાં રહેતાં રાજુ રોકડની પુત્રીની સગાઈ તૂટી જતાં રોકડ બંધુએ સમાજમાં બદનામી તમારા લીધે થઈ છે આરોપ નાંખી ખંડણી માંગી રૂા.10 લાખ પડાવી લીધાં

 અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે કથળેલા છે તેની વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના નિલકંઠ પાર્કમાં રહેતા ઉદ્યોગકાર સુરેશભાઇ ટીંબડીયાએ તેના પડોશીઓની ધાક-ધમકી અને ગુંડાગીરી તથા ખંડણીખોરીમાંથી બચવા કોઇ રસ્તો ન દેખાતા અંતે આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત પૂર્વે લખેલી ચીઠ્ઠી કોઇપણ કઠણ કાળજાના માણસનું દીલ પણ ખળભળાવી દે તેવી છે. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, નીલકંઠ પાર્કમાં આવેલ કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતાં સુરેશભાઈ માવજીભાઈ ટીંબડિયા (ઉ.વ.54) ગઈકાલે બપોરે નવા થોરળામાં આવેલ રામનગર શેરી નં.2 માં જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના ઘડિયાળના કારખાને ગયાં હતાં. જેઓ સાંજ સુધી ઘરે પરત ન ફરતાં તેના પુત્ર મયુરે ફોન કરતાં ફોન પણ ઉપાડ્યા ન હતાં. જે બાદ તે રૂબરૂ કારખાને જતાં ત્યાં તેના પિતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ,ની ટીમે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઈ આર.આર.સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી  બનાવ અંગે મૃતકના પુત્ર મયુરભાઈ ટીંબડિયાની ફરિયાદ પરથી આરોપી રાજુ વેલજી રોકડ અને સંજય રોકડ વિરુદ્ધ આઇપીસીની 306, 323, 386, 387 સહિતનો કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

વધુમાં ફરિયાદી માયુરભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પિતા સાથે તેઓ રામનગર શેરી નં.2 માં આવેલ જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના ઘડિયાળના કારખાનું સાંભળે છે. તે એક ભાઈ-એક બહેન છે. તેમની પડોશમાં રાજુ રોકડ અને સંજય રોકડ રહે છે. રાજુની પુત્રીની છ માસ પહેલાં સગાઈ તૂટી ગઈ હતી. જે બાબતે આરોપી રાજુએ તેમના પિતા પર આરોપ મૂક્યો હતો કે તે અમારા જમાઈને ફોન દ્વારા ફોટા મોકલેલ છે જેથી અમારી પુત્રીની સગાઈ તૂટી ગયેલ છે. હવે તારે સમાધાન પેટે બે કરોડ રૂપિયા આપવા પડશે કહી ખંડણી માંગી હતી.

જે બાદ આરોપીઓએ મૃતક સુરેશભાઈ પાસેથી રૂ.10 લાખ પડાવી પણ લીધાં હતાં. બાદમાં બે દિવસ પહેલાં વધું રૂ.25 લાખ માંગ્યા હતાં અથવા ખેતીની જમીનનો સાટાખત કરાવી દેવો પડશે કહીં ધમકી આપી હતી. મૃતક પાસે રૂપિયાની સગવડ ન થતાં અને જમીન આરોપીઓ પચાવી પાડશે તેના ભયમાં અંતિમ પગલું ભરી લીધું હતું અને આપઘાત કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી.થોરાળા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

સુરેશભાઇની ચીઠ્ઠીમાં કરૂણ દાસ્તાન : કાયદો મદદે નથી આવતો

કારખાનામાં જ આત્મહત્યા કરી લેનારા સુરેશભાઇ માવજીભાઇ ટીંબડીયાએ છ અલગ-અલગ પેઇજમાં સ્યુસાઇટ નોટ લખી છે. તેમાં લખ્યું છે કે મને આ કાંઇ સારુ લાગતુ નથી. પણ મારો ચહેરો જોઇને મારા પરિવારજનો બહુ ઉદાસ થઇ જતાં હતા. મારા માથે ઘણી બધી જવાબદારી છે. મારે બે દિકરી અને એક દિકરો છે. મને ખબર છે કે મારો માળો વિંખાઇ જશે. પણ સંજય અને રાજુ ધરાતાં નથી. મારો વજન પણ થોડા દીવસમાં ઘણો બધો ઉતરી ગયો છે. જિંદગી જીવવાનો સમય સારો આવ્યો તો કાળ પણ સાથે આવ્યો છે.

બંનેની ભુલ હશે છતાંયે મારા દિકરાને અલગ-અલગ જગ્યાએ બોલાવીને બે વાર માર માર્યો છે. હું જોતો રહ્યો હતો એક શબ્દ બોલ્યો નહોતો. થોડા દિવસ પછી રાજુભાઇએ સમાધાનના નામે રૂ.૧૦ લાખ માંગ્યા. મેં એ રકમ આપી પણ દીધી હતી. પછી તેના ભાઇ સંજયભાઇએ ફોન કરી ૨૫ લાખ માંગ્યા હતાં. બહુ ધમકી આપી ઘણુ બધુ કીધુ હતું. મારા છોકરાને મારી નાખવાની ધમકી આપી હતી. મેં જમીન વેંચવા કાઢી હતી. મારી દીકરીના લગ્ન છે પણ વ્યવસ્થાન કરી શકયો નથી. હું પાગલ જેવો થઇ ગયો છું. રાજુભાઇને બે વાર પચાસ હજાર ઉછીના આપ્યા હતાં. એવુ જોઇને તેની દાનત બગડી ગઇ એને દયા નથી. રાજુભાઇ અને સંજયભાઇને હું ૨૫ લાખ ભેગા કરીને આપી દઉ. જમીન વેચીને આપી દઉ આમ છતાં મને તે જીવુ ત્યાં સુધી હેરાન કરશે. મને ડરાવે છે કે ક્રાઇમ બ્રાંચમાં અમારો જ સ્ટાફ છે. તમારુ ખાનદાન સાફ કરાવી નાંખશુ તેવી ધમકી આપે છે. જમીન વેંચવા કાઢી પણ કમુરતા બેસી ગયા હતાં. આ કારણે તાત્કાલીક વાડી વેંચાતી નથી.

સુરેશભાઇએ આપઘાત પૂર્વે ચીઠ્ઠીમાં એમ પણ લખ્યુ છે કે મારા ગયા પછી મારા અંગ કોઇને કામ આવે તો દાન કરજો. તેની આ ઇચ્છા મુજબ પરિવારજનો તેમના ચક્ષુનું દાન કરાવ્યું છે. મારા ઉપર કોઇ દેણુ નથી. મારી પાસે બધાએ રૂપિયા લીધા છે. મને ઉમ્મીદ છે કે એ લોકો આપી દેશે. આત્મહત્યાનું મને જ્ઞાન છે મજબૂરી છે મને મારો પરિવાર માફ કરે. મારી પાછળ ફાલતુ ખર્ચ કરવો નહી. સંજયભાઇ હવે ત્રણ લાખ રોકડા માંગે છે. જમીનનું લખાણ પણ માંગે છે. મારી પાસે હવે કોઇ રસ્તો નથી. સહિતની વિગતો સુરેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખી છે. તેમજ તેની ઓડીયો કલીપ પણ મોબાઇલમાંથી મળી છે. પોલીસે આને આધારે તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓને સકંજામાં લીધા છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
હેલ્થ

Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે

By 2 days ago
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?