- સુરતમાં 52 % વિસ્તાર નવસારી- બારડોલી લોકસભા વિસ્તારમાં આવે છે
- નવ પોલીસ સ્ટેશન હદમાં ચૂંટણી પૂરી થઈ,૨૬ પોલીસ સ્ટેશનમાં બાકી
- સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ રાત્રે કરે છે પેટ્રોલિંગ
લોકસભાની ચૂંટણીને હવે ગુજરાતમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે સુરત પોલીસ દ્વારા રાત્રીના સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે શંકાસ્પદ સ્થળો તેમજ હિસ્ટ્રીશીટર કાર્ડવાળાને પણ ચેક કરાઈ રહ્યાં છે.
પોલીસની ગુનેગારો પર બાજનજર
ગુજરાતની સુરત પોલીસ હાલ એલર્ટ મોર્ડ પર છે,બારડોલી-નવસારી લોકસભાનો 52 ટકા વિસ્તાર સુરતમાં આવે છે,તેને લઈ પોલીસ સતર્ક બની છે,સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી પણ પોલીસ માટે પડકાર બાકી છે,પોલીસે ગત રાત્રી દરમિયાન ૫૧૦ શંકાસ્પદ સ્થળનું ચેકિંગ કર્યુ,૪૧૧ હિસ્ટ્રીશીટર કાર્ડવાળાને ચેક કરાયા,૫૩ પાસાના હુકમ કરાયા અને ૯૧ તડીપારની દરખાસ્ત કરાઈ છે,તો આટલું જ નહી કોઈ અનઈચ્છનિય બનાવ બને નહી તેને લઈ પોલીસ રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે.
અનુપમસિંહ ગેહલોત એકશન મોડપર
લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે. અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ અઢી મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી. જો કે હાલમાં જ અનુપનમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળવામાં આવ્યો છે. હવે તેમણે ચુંટણી આચાર સહિતની વચ્ચે ચાર્જ સાંભળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
100થી વધુ ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા
સુરતમાં અસામાજીક તત્વો બેફામ બન્યા હતા. તેવામાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. મળતી માહિતી મુજબ, સુરતમાં માથાભારે મીંડી ગેંગના 2 સભ્યોની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાસા થયેલા આરોપી મોહમ્મદ માઇઝ મુહંમદ હનીફ શેખ, મોહમંદ તાહા મોહમંદ હનીફ શેખ ઉર્ફે મીંડી ગેંગ સામે મહિલાઓ સાથે છેડતી, મીલકત સંબંધી, પ્રોહીબિશન સંબંધી હેઠળના ગુનામાં સંડોવાયેલા હતા. આ બન્ને આરોપીઓને અમદાવાદ અને નડિયાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. આમ, અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.


