- શહેરના મિયાણાવાડમાં મહિલાને માતા-પુત્રે માર માર્યો
- બી ડિવિઝન પોલીસની આરોપી સામે ગુનો નોંધી તપાસ
- દુકાનદારે પૈસા બાબતે ઈંટનો ઘા મારી ઈજા પહોંચાડાઈ હતી
સુરેન્દ્રનગરના મુળચંદ રોડ પર પાન-માવા લેવા આવેલા શખ્સ પાસે દુકાનદારે પૈસા બાબતે ઈંટનો ઘા મારી ઈજા પહોંચાડાઈ હતી. બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર શાંતીનગરમાં રહેતા વિજય મનસુખભાઈ ડાબેચાની મુળચંદ રોડ પર દુકાન આવેલી છે. તા. 7મીએ રાત્રે દુકાને ફર્નીચરનું કામ ચાલતુ હોઈ તેઓ દુકાને હતા. ત્યારે 80 ફુટ રોડ પર રહેતો બાબુ લાભુભાઈ રબારી પાન-માવો લેવા આવ્યો હતો. જે આપ્યા બાદ વિજયભાઈએ પૈસા માંગતા તું મને ઓળખે છે, પૈસા નથી આપવાના તેમ બાબુએ કહ્યુ હતુ. આથી વિજયભાઈએ ભલે પૈસા ન આપો પણ હવે મારી દુકાને કંઈ લેવા ન આવતા તેમ કહેતા બાબુએ તું મને વસ્તુ લેવા આવવાની કેમ ના પાડેશ તેમ કહી બોલાચાલી કરી, અપશબ્દો કહી માર માર્યો હતો. અને બાજુમાં રહેલ ઈંટ વડે વિજયભાઈના માથામાં ઈજા કરી હતી. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ નરેન્દ્રસીંહ ગોહિલ ચલાવી રહ્યા છે.


