- છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકામાં રજૂ થયેલી 3500થી વધુ ફાઈલમાંથી માત્ર ર 00 જ મંજૂર
- નગર સેવા સદનમાં પ્લાન પાસ કરવાની ગતિ ધીમી પડતા સિવિલ ઈજનેર અને આર્કીટેક એસોસિયેશને રજૂઆત કરી
- છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાનો રાજયની નગરપાલિકાઓમાં એ વર્ગમાં સમાવેશ થાય છે. તેમ છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે. જેઓને પણ ધ્રાંગધ્રાનો ચાર્જ છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં પાલિકામાં પ્લાન પાસ કરાવવા રજૂ થયેલી 3500થી વધુ ફાઈલમાંથી માત્ર 200 જ મંજૂર થઈ છે. આથી સિવિલ ઈજનેર અને આર્કીટેક એસોસિયેશને કલેકટર કચેરીમાં આ મુશ્કેલી દુર કર વા લેખીત ર જૂઆત કરી છે. સુરેન્દ્રનગર -વઢવાણ શહેર માં પહેલા બાંધકામ પ્લાન પાસ કર વાની સત્તા સુરેન્દ્રનગર -વઢવાણ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (સ્વુડા) પાસે હતી. પરંતુ તેમાં મુશ્કેલી પડતી હોવાથી બે વર્ષ પહેલા આ સત્તા પાલિકાને સોંપાઈ છે. તેમ છતાં લોકો અને ખાસ કરીને સિવિલ ઈજનેર તથા આર્કીટેક હેરાનગતિ ભોગવી ર હ્યા છે. સુરેન્દ્રનગર -વઢવાણ સંયુકત પાલિકાનો રાજયની એ વર્ગની નગર પાલિકામાં સમાવેશ કરાયો છે. તેમ છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે. જયારે તેઓને પણ ધ્રાંગધ્રાનો ચાર્જ ર હેલો છે. બીજી તર ફ ધ્રાંગધ્રા પાલિકામા ટેકનીકલ સ્ટાફની સંખ્યા ત્રણની છે. પાલિકાને પ્લાન પાસ કર વાની સત્તા મળ્યા બાદ છેલ્લા 2 વર્ષમાં ઓનલાઈન અને ઓફલાઈન અંદાજે 3500થી વધુ ફાઈલ રજૂ થઈ છે.જેમાંથી માત્ર 200 જ પાસ કરાઈ હોવાની રાવ સાથે સુરેન્દ્રનગર સિવિલ એન્જીનીયર્સ અને આર્કીટેક એસોસિયેશને કલેકટર કચેરીમાં લેખિતમાં ર જૂઆત કરી હતી. આ ર જૂઆતમાં સંસ્થાના પ્રમુખ સંજય પાટડીયા, જય સોલંકી, દેવરાજ રાઘવાણી સહિતનાઓએ જણાવ્યુ કે, પુર તા સ્ટાફના અભાવે ફાઈલોનો નિકાલ ન થતા સુરેન્દ્રનગર , વઢવાણ, ર તનપર , જોરાવર નગર , દુધરેજ સહિતના વિસ્તારોનો વિકાસ રૂંધાય છે. પુર તો સ્ટાફ ફાળવાય તો પડતર ફાઈલોનો નિકાલ આવે તેમ છે. આથી વહેલી તકે આ બાબતે કાર્યવાહી કર વા ર જૂઆતના અંતે જણાવાયુ છે.


