સુર્યકુમાર યાદવે IPL 2025 દરમિયાન મુંબઇમાં બે ફ્લેટ ખરીદ્યા છે. તેમણે મુંબઈના દેવનાર વિસ્તારમાં બનેલા એક એપાર્ટમેન્ટમાં કરોડો રૂપિયા ખર્ચીને આ બે ફ્લેટ ખરીદ્યા છે. એવું કહેવાય છે કે તેની કુલ કિંમત સુર્યકુમાર યાદવના વર્તમાન IPL પગાર કરતાં લગભગ દોઢ ગણી છે. આ વૈભવશાળી ફ્લેટમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. જેને જોઇને તમે ચોંકી ઉઠશો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવ પોતાનું પર્ફોમ્સ બતાવી રહ્યા છે.
સુર્યકુમાર યાદવે 2 ફ્લેટ ખરીદ્યા
IPL 2025ની વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને T20 ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર મુજબ, તેણે મુંબઈમાં એક વૈભવી એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ ખરીદ્યા છે. તે બે ફ્લેટની કિંમત IPL 2025માં તેમની કમાણી કરતાં લગભગ દોઢ ગણી વધારે છે. અહેવાલો અનુસાર, બંને ફ્લેટનો વ્યવહાર સૂર્યકુમાર યાદવે 25 માર્ચ, 2025 ના રોજ કર્યો હતો. સુર્યકુમાર યાદવે મુંબઈના દેવનાર વિસ્તારમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં બંને ફ્લેટ ખરીદ્યા છે. જેની કુલ કિંમત 21.1 કરોડ રૂપિયા છે. IPL 2025માં સુર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, જેણે તેને 16.35 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. હવે જો આપણે આ રીતે જોઈએ તો, તેના બંને ફ્લેટની કિંમત સંપૂર્ણ રકમ જેટલી નથી પણ IPL 2025 માટે તેને મળી રહેલા પૈસા કરતાં લગભગ દોઢ ગણી વધારે છે.
સુર્યકુમાર યાદવના ફ્લેટની ખાસિયત
સુર્યકુમાર યાદવેના બંને ફ્લેટ ગોદરેજ સ્કાય ટેરેસ પ્રોજેક્ટમાં આવેલા છે. જેનો કુલ કાર્પેટ એરિયા 4,222.7 ચોરસ ફૂટ છે. તેમના ફ્લેટ 4,568 ચોરસ ફૂટમાં બનેલા છે. સુર્યાના બંને ફ્લેટ એપાર્ટમેન્ટના બે અલગ અલગ માળ પર છે. જે એપાર્ટમેન્ટમાં તેમનો ફ્લેટ આવેલો છે તેમાં 6-સ્તરીય કાર પાર્કિંગ વિસ્તાર પણ છે. સુર્યકુમાર યાદવ હાલમાં IPL 2025 રમવામાં વ્યસ્ત છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમી હતી. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીને કારણે આ મેચમાં સુસૂર્યકુમાર યાદવે પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેમની કેપ્ટનશીપમાં મુંબઈ ઇન્ડિયન્સ જીતી શક્યું નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આગામી મેચમાં સુર્યકુમાર યાદવ કેપ્ટન નહીં હોય
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ હવે ગુજરાત ટાઇટન્સ સામે છે. આ મેચ 29 માર્ચે અમદાવાદમાં રમાશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે, તેનું ખાતું ખુલશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન નહીં હોય, પરંતુ એક ખેલાડી તરીકે, તે ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતો જોવા મળશે.


