T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે. ભારતીય ટીમની જાહેરાત 20 ડિસેમ્બરે કરવામાં આવી હતી, જેમાં 15 ખેલાડીઓને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે.
ઘણા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સ્ટાર ખેલાડીઓનું ટીમમાંથી પત્તું કપાયું છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે આગામી ટુર્નામેન્ટ માટે પાંચ આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે.
ઈશાન કિશન ટીમમાં ફર્યો પરત
T20 વર્લ્ડકપ 2026 માટે ઈશાન કિશનના નામ પર વિચાર પણ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવીને સ્ટાર ખેલાડીએ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યા બાદ તેને અચાનક ભારતીય ટીમમાં પાછો ફરવાનો રસ્તો મળી ગયો.
ટીમનો વાઈસ-કેપ્ટન બદલાયો
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટનમાં ફેરફાર થયો છે. શુભમન ગિલ T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સ્ટાર વિકેટકીપર થયો બહાર
ગયા T20 વર્લ્ડકપ 2024માં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર રિષભ પંતને આ વર્ષના વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેને પાછલી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ સિરાજને કરવામાં આવ્યો ઈગ્નોર
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજને 2026ના T20 વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજ 2024ના T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનો ભાગ હતો.
સ્ટાર ખેલાડીને એવરેજ પ્રદર્શન પછી તક
સામાન્ય પ્રદર્શન છતાં હર્ષિત રાણાએ 2026ના T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું છે. સાઉથ આફ્રિકા સામેની તાજેતરની 3 મેચની T20 સિરીઝમાં તેને ફક્ત 3 વિકેટ લીધી હતી. બીજી મેચમાં તે ખાલી હાથે પાછો ફર્યો હતો.
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો: Team Indiaની ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે જાહેરાત, આ ખેલાડીઓને મળી તક


