- જનકસિંહ જાડેજાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું
- વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા જનકસિંહ જાડેજા
- ક્ષત્રિય સમાજના સમર્થનમાં રાજીનામું આપ્યું
ક્ષત્રિય સમજાનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું ત્યાં હવે ભાજપમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ રહી છે. રાજકોટના ધોરાજીમાં તોરણીયા ગામના અને ભાજપ સાથે વર્ષો થી સંકળાયેલ એવા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને હાલ ભાજપ સદસ્ય તેમજ શક્તિ કેન્દ્ર પ્રમુખ એવા જનકસિંહ જાડેજા એ તમામ હોદાપર થી રાજીનામુ ધરી દીધું છે.
છેલ્લા થોડાં દિવસોથી પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. જેમાં એક તરફ ભાજપ સંકલનની બેઠકો નિષ્ફળ જઈ રહી છે ત્યાં હવે પાર્ટીની અંદર પણ મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજના સમર્થનમાં ભાજપના તાલુકા પૂર્વ મહામંત્રી જનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું છે.
આ સાથે રાજીનામુ આપેલ ક્ષત્રિય સમાજ ની સ્વાભિમાનની લડાઈનું ખુલુ સમર્થન જાહેર કરી દીધું છે. જનકસિંહ જાડેજા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા. ધોરાજીના તોરણીયા ગામ ના તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને હાલ ભાજપના સદસ્ય એ ભાજપ ને રામ રામ કરી લીધા છે.


