ભારતીય ક્રિકેટનો સૌથી નવો અને સૌથી યુવાન ખેલાડી, વૈભવ સૂર્યવંશી, ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માટે તૈયાર છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટારમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યા પછી, વૈભવ ફરી એકવાર એશિયા કપમાં રમતા જોવા મળશે. આ વખતે, તે અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.ડિસેમ્બરમાં આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને વૈભવને તેમાં સામેલ કરવામાં આવ્યો છે.જોકે,અંડર-19 ટીમની કેપ્ટનશીપ તેના સિનિયર, આયુષ મ્હાત્રેને આપવામાં આવી છે.
આયુષ મ્હાત્રેના હાથમાં કમાન
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે કેપ્ટનશીપની જવાબદારી યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને સોંપવામાં આવી છે.જેમાં કેપ્ટન તરીકે આયુષને ટીમનું નેતૃત્વ કરવાની પડકારરૂપ જવાબદારી મળી છે. જ્યારે આયુષના સહાયક તરીકે વિહાન મલ્હોત્રાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે યુવાન પ્રતિભા વૈભવ સૂર્યવંશી. નોંધનીય છે કે, વૈભવને કેપ્ટન બનાવવામાં આવ્યો નથી, પરંતુ તેને ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન મળ્યું છે. માત્ર 14 વર્ષની આસપાસની ઉંમર ધરાવતો વૈભવ ભારતનો એક ચમકતો સિતારો છે અને આટલી નાની ઉંમરે તેને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં સામેલ કરવો એ તેના પર ટીમ મેનેજમેન્ટનો મોટો વિશ્વાસ દર્શાવે છે.
અંડર 19ના સંપૂર્ણ સ્ક્વોડ પર એક નજર
ભારતીય જુનિયર ક્રિકેટ ટીમને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિએ સંતુલિત અને બહુમુખી પ્રતિભા ધરાવતી ટીમની રચના કરી છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ અને ઉભરતા તારલાઓનો સમન્વય જોવા મળે છે.ભારતીય અંડર-19 એશિયા કપ માટે તૈયાર કરવામાં આવેલી ટીમ નીચે મુજબ છે.આયુષ મ્હાત્રે (કેપ્ટન),વૈભવ સૂર્યવંશી (ઓપનિંગ બેટ્સમેન),વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન). તે સિવાય વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દિપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર, મોહન કુમાર, યુવરાજ ગોહિલ. આ ટીમમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં પૂરતી ઊંડાઈ છે, જે દુબઈના પડકારરૂપ મેદાનો પર ટીમને સારો દેખાવ કરવામાં મદદરૂપ થશે.
” style=”position: static; visibility: visible; width: 550px; height: 814px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1994291836027044125″>
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
આ ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. યુવા ટીમો વચ્ચે પણ હરીફાઈની તીવ્રતા ઓછી હોતી નથી, અને તેથી જ આ ટક્કર પર સૌની નજર રહેશે. ટીમ ઈન્ડિયા 12 ડિસેમ્બરથી અંડર-19 એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ જે મેચની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે, તે છે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મુકાબલો. આ 2 દિગ્ગજ ટીમો 14 ડિસેમ્બરે એકબીજા સામે ટકરાશે. એક વાત નિશ્ચિત છે કે આ મેચનું દબાણ સિનિયર ટીમોની મેચ જેટલું જ રહેશે. જો ગ્રુપ સ્ટેજ બાદ બંને ટીમો આગળના રાઉન્ડમાં પહોંચશે, તો ફરી એકવાર આ યુવા હરીફો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
આ પણ વાંચો -RCBની સાથે હવે આ ફ્રેન્ચાઇઝી પણ વેચાઈ જશે? આ મોટા ઉદ્યોગપતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો


